Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસના એક્ટિવ કેસની દૃષ્ટિએ હવે ગુજરાત દેશમાં 8મા સ્થાને પહોંચ્યું

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2020 (15:29 IST)
ગુજરાતમાં સોમવારે કોરોનાના નવા 735 કેસ નોંધાતા હવે કુલ કેસનો આંકડો 36,858 થયો છે. પરંતુ ડિસ્ચાર્જ કે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા બાદ કરતાં હાલ સારવાર હેઠળ હોય તેવા દર્દીઓનો આંકડો હાલ 8,574 છે જે કુલ દર્દીઓના 23 ટકા જેટલો થાય છે. આ સાથે હવે ગુજરાત દેશમાં સૌથી વધુ એક્ટિવ દર્દીઓ ધરાવતા રાજ્યોમાં આઠમા સ્થાને આવી ગયું છે.  સોમવારે ઉત્તરપ્રદેશ પણ ગુજરાતથી આગળ નીકળી ગયું છે. આમ હવે મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશ બાદ ગુજરાતનો ક્રમ આવે છે. તેની સામે રિકવરીનો રેટ ગુજરાતમાં 71.42 ટકા છે. સોમવારે જ 735 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.  17 લોકોના મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાને કારણે થયેલાં કુલ મૃત્યુના કિસ્સાનો આંકડો 1,962 પર છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર 5.32 ટકા છે. દરમિયાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાની સારવાર બાદ રજા અપાઈ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments