Festival Posters

રાજ્યમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું. આંકડો 2 હજારને પાર, 57ના મોત

Webdunia
બુધવાર, 22 એપ્રિલ 2020 (12:07 IST)
રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા તથા સુરતની સ્થિતિ વધુ ગંભીર છે. કારણ કે રાજ્યમાં સૌથી વધુ કોરોનો પોઝિટિવ દર્દીઓ અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. 
 
ગુજરાત રાજ્યનાં અગ્ર આરોગ્ય સચિવ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી માહિતી આપી હતી કે રાજ્યમાં હાલ જે પ્રકારે લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યું છે તેવી સ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા સર્વેલન્સનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું સતત મોનિટરિંગ પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 
 
બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના 94 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2272 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં આ મહામારીથી અત્યાર સુધી કુલ 95 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાત દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુ મામલે બીજા સ્થાને પહોંચી ગયું છે. 
 
અમદાવાદમાં 1434 કેસ, રાજકોટમાં 41, સુરતમાં 364 કેસ, વડોદરામાં 207 અને ભાવનગરમાં 5 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 2272 કેસ નોંધાયા છે. તેમાંથી 144 લોકો સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 95 લોકોના મોત પણ થયા છે. આમ જોઈએ તો ગુજરાતમાં મૃત્યુઆંક વધારે છે. હાલ ગુજરાતમાં 2020 એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાં 13 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચુક્યું છે. અહીં અત્યાર સુધી 1434 કેસ નોંધાવાની સાથે કુલ 57 લોકોના મૃત્યુ થયા છે. 
 
 
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ: 1434
વડોદરા: 207
સુરત: 364
રાજકોટ: 41
ભાવનગર: 32
આણંદ: 28
ભરૂચ: 24
ગાંધીનગર: 17
પાટણ: 15
પંચમહાલ: 11
બનાસકાંઠા: 15
નર્મદા: 12
છોટા ઉદેપુર: 7
કચ્છ: 6
મહેસાણા: 7
બોટાદ: 9 
પોરબંદર: 3
દાહોદ: 4
ગીર-સોમનાથ: 3
ખેડા: 3

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments