Festival Posters

સુરતમાં શાકભાજીનું વેચાણ કરતાં એપીએમસી માર્કેટ 7 દિવસ બંધ કરાશે

Webdunia
ગુરુવાર, 7 મે 2020 (14:17 IST)
સુરત શહેરમાં 10થી વધુ શાકભાજી વિક્રેતાઓ ટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. સુપર સ્પ્રેડર બનેલા શાકભાજી વિક્રેતાઓના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પાલિકા કમિશનરે શહેરને અસર કરતો મોટો નિર્ણય કર્યો છે. તા. 9 મે થી તા.14મી મે સુધી એપીએમસી તેમજ લોકલ માર્કેટમાં શાકભાજી વેચાણ કરનારા લોકો પર ફરજિયાત બંધનો આદેશ કર્યો છે. જેથી એપીએમસી સંચાલકોના જણાવ્યા પ્રમાણે માર્કેટ બંધ કરે તો રૂ.5 કરોડનું દૈનિક નુકશાન ખેડૂતોને થવાનો અંદાજ છે. સામાન્ય દિવસોમાં એપીએમસી માર્કેટમાં 50 હજારથી વધુ લોકો એપીએમસીમાં શાકભાજીના ખરીદ-વેચાણ કરવા માટે આવે છે. તેની સામે 2500 ટન શાકભાજીનું દૈનિક વેચાણ થાય છે. જોકે, તેની સામે હાલના સમયે કોરોના કારણે કરવામાં આવેલા લોકડાઉનથી માંડ 15000 વેપારી-ખેડૂતોની અવર-જવરની સાથો-સાથ 1200 ટન જેટલા શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં જો એપીએમસીને બંધ કરી દેવામાં આવે તો શહેરમાં શાકભાજી વેચાણનો સ્ત્રોત અટવાય શકે તેમ છે.  અંગે એપીએમસી ચેરમેન રમણ જાની અને વાઈસ ચેરમેન સંદીપ દેસાઈ જણાવે છે કે, માર્કેટ બંધ કરવામાં આવે તો દૈનિક રૂ.5 કરોડથી વધુનું ખેડૂતને નુકશાન થાય તેમ છે. એવામાં સૌથી મોટું નુકશાન રાજ્યની બહારથી આવતા વટાણા, તુવેર, ગલકા, પરવળ સહિતના શાકભાજીનો જથ્થો અટકી પડશે. ઉલ્લેખનીય છે કે, હાલ પૂરતી નવી વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી નથી પરંતુ શાકભાજી વેચાણ માટે જે સ્પોટ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે ત્યાં તા.9મી મે સુધી શાકભાજીનું વેચાણ થઈ શકશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

60 વર્ષના થયા સલમાન ખાન, કેમરા સામે કાપ્યો કેક, બર્થડે પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, ધોની પણ જોવા મળ્યા

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

આગળનો લેખ
Show comments