Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગામી પાંચ વર્ષ સુધી સરકારનો ફોકસ અયોધ્યા પર, સારા રસ્તા, એયરપોર્ટ અને ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિદ્યાઓ

Webdunia
ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (11:14 IST)
પર્યટનને વધારવા માટે શુ જોઈએ ? સારા રસ્તાઓ... એયરપોર્ટ, મૂળભૂલ સુવિધાઓ અને સારી સુવિદ્યાઓવાળા હોટલ. આ માટે સરકારે પ્રયત્ન શરૂ કર્યા છે. અયોધ્યામાં મંદિર બનવાના નિર્ણય સાથે જ અહી એયરપોર્ટ બનાવવાની ગતિવિધિઓ ઝડપી થઈ રહી છે. પૂર્વાચલ એક્સપ્રેસ વે પણ અયોધ્યા થઈને પસાર થશે. બીજી બાજુ બનારસથી અયોધ્યા સુધી પણ ફોર લેન બનાવાશે.  અયોધ્યા તીર્થ વિકસ પરિષદની રચનાને પણ બસ કેબિનેટની મંજૂરીની રાહ  જોઈ રહી છે. 
 
જલ્દી શરૂ થશે અયોધ્યાનો એયરપોર્ટ 
આ ઉપરાંત અયોધ્યા વિકાસ મંડળની સીમાઓ પણ વિસ્તૃત કરવામાં આવી રહી છે જેથી આસપાસના વિસ્તારને પણ સુરક્ષિત કરી શકાય. બધા પ્રયાસો ફક્ત એટલા માટે કરવામાં આવ્યા હતા કે અયોધ્યા એક મુખ્ય ધાર્મિક પર્યટન બન્યું હતું. અયોધ્યા એરપોર્ટના નિર્માણ માટે હજી 7-8 વર્ષનો સમય બાકી છે, પરંતુ લખનૌ અને બનારસમાં પહેલાથી જ વર્લ્ડ ક્લાસ એરપોર્ટ અસ્તિત્વમાં છે. અહીંથી અયોધ્યા પહોંચવું સરળ બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
 
અંતિમ તબક્કામાં  છે ફોર લેન
 
લખનૌથી બનારસ સુધી બની રહેલો ફોર લેન અંતિમ ચરણમાં છે. તો બીજી બાજુ બનારસથી અયોધ્યા સુધીના 192-કિલોમીટર લાંબા કાશી-અયોધ્યા હાઇવેને પણ બે  વર્ષમાં બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, જ્યારે પ્રવાસીઓ લખનઉ એરપોર્ટ પર ઉતરે તો અયોધ્યા જાય કે બનારસ ત્યાર માર્ગ રસ્તા સીધા અને ખાડાઓ વગરના હોય. લખનૌથી લગભગ દોઢ કલાક અને બનારસથી લગભગ બે કલાકમાં અયોધ્યા પહોંચી શકાશે. 
 
પર્યટન સુવિધાઓમાં વધારો
 
આ ઉપરાંત, તીર્થ વિકાસ પરિષદ અયોધ્યામાં ઘાટ, મંદિરો અને અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓનો વિકાસ કરશે. અયોધ્યામાં દરેક ગલી, દરેક ઘરમાં મંદિરો છે. તેને પણ શણગારવામાં આવશે. સાથે જ   અયોધ્યા અને આસપાસના વિસ્તારને ઓથોરિટી પોતાની સીમાની અંદર લઈને તેનો વિકાસ કરશે, જેથી મોટી પ્રખ્યાત ફાઇવ સ્ટાર હોટલોનો ધસારો અહીં આવશે. આ સિવાય પર્યટન સુવિધાઓ વધશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

આગળનો લેખ
Show comments