Dharma Sangrah

અમદાવાદના મેયરે PPE કીટ દાનમાં સ્વીકારતો ફોટો પડાવતા માસ્ક ન પહેર્યું

Webdunia
શુક્રવાર, 29 મે 2020 (12:36 IST)
કોરોના વાઇરસની મહામારીને લઇ  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. નાગરિકોને ગાઈડલાઈનને પાલન કરવાનું કહેતા પહેલા શહેરના પ્રથમ નાગરિકે પાલન કરવાનું હોય છે પરંતુ અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે જ ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 5000 PPE કીટ દાન કરવામાં આવી હતી. જેનો ફોટો પડાવતા સમયે તમામ લોકોએ ગાઈડલાઈન મુજબ મોંઢે માસ્ક પહેર્યા હતા પરંતુ મેયરે માસ્ક પહેર્યું ન હતું. પાંચ વ્યક્તિઓ સાથે ઊભા રહી ફોટો પડાવતી વખતે માસ્ક પહેરવું જોઈએ તેની જગ્યાએ તેઓ વગર માસ્કે ફોટો પડાવ્યો હતો. મેયર દ્વારા આ રીતે માસ્ક પહેર્યા વગર ફોટો પડાવતા શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની પાસેથી ગાઈડલાઈનના ભંગ બદલ દંડ વસુલવામાં આવશે? કે મેયર એક જવાબદાર નાગરિક તરીકે સામેથી જ દંડ ભરી દેશે. #HuPanCoronaWarrior અભિયાન અંતર્ગત "સેલ્ફી વિથ માસ્ક" માં હું પણ માસ્ક સાથે સેલ્ફી લઈને આ જનજાગૃતિ અને જનભાગીદારીના નવતર આયામમાં સહભાગી બની. આપ સૌને પણ નમ્ર અનુરોધ કરું છું કે આપ પણ જોડાવો. આવું ટ્વિટ કર્યું હતું પરંતુ પોતે જ માસ્ક પહેર્યા વગર બહાર દેખાતા માત્ર મેયરે દેખાડો કર્યો હોવાનું જણાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર પર આ SBIના PPE કિટના દાનના ટ્વિટમાં લોકોએ મેયરના માસ્ક ન પહેરવા બદલ આલોચના અને મજાક ઉડાવી હતી. લોકોએ ખૂબ જ રમુજી કોમેન્ટ કરી પ્રથમ નાગરિકની હાંસી ઉડાવી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

આગળનો લેખ
Show comments