Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kamda ekadashi- 23 એપ્રિલને કામદા એકાદશીના દિવસે બની રહ્યા છે વૃદ્ધિ અને ધ્રુવ યોગ જાણો શું છે જ્યોતિષશાસ્ત્રમાં તેનો મહત્વ

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (03:24 IST)
સનાતન ધર્મમાં એકાદશી વ્રતને બધા વ્રતોમાં શ્રેષ્ઠ ગણાય છે. હિંદુ પંચાગના મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી વ્રત રખાય છે. આ વર્ષે આ તિથિ 23 એપ્રિલ દિવસ શુક્રવારને છે. એકાદશી ભગવાન 
વિષ્ણુની કૃપાથી ભક્તના બધા પાપ મટી જાય છે અને પિશાચ યોનીથી મુક્તિ મળે છે.
કામદા એકાદશીના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. 23 એપ્રિલને પડનારી એકાદશી વૃદ્ધિ અને ધ્રુવ યોગમાં ઉજવાય છે. વૃદ્ધિ યોગ 02 વાગીમે 40 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ધ્રુવ યોગ લાગી જશે. 
જ્યોતિષશાસ્ત્રમાં ધ્રુવ અને વૃદ્ધિ યોગને ખૂબ શુભ ગણાય છે. આ સમયે માંગલિક કાર્ય કરાય છે. 
 
કામદા એકાદશીના શુભ મૂહૂર્ત 
હિંદુ પંચાગ મુજબ 21 એપ્રિલની રાત્રે 11 વાગીને 35 મિનિટ સુધી દશમી તિથિ રહેશે. ત્યારબાદ એકાદશી તિથિ લાગી જશે. જે 23 એપ્રિલ રાત્રે 9 વાગીને 47 મિનિટ સુધી રહેશે. 
 
એકાદશીના દિવસે શું કરવું શું નહી 
1. શાસ્ત્રોમાં બધી 24 એકાદશીઓમાં ચોખા ખાવાનું વર્જિત ગણાય છે. માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી માણસ રેંગતા જીવ યોનિમાં જન્મ લે છે. આ દિવસે ભૂલીન પણ ચોખાનો સેવન નહી કરવું 
 
જોઈએ. 
2. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુઅ પૂજા-અર્ચના કરવાની સાથે ખાન-પાન વ્યવહાર અને સાત્વિકતાનો પાલન કરવો જોઈએ. 
3. કહેવાય છે કે એકાદશીના દિવસે પતિ-પત્નીને બ્રહ્મચાર્યનો પાલન કરવું જોઈએ. 
4. માન્યતા છે કે એકાદશીનો લાભ મેળવા માટે વ્યક્તિને આ દિવસે કઠોર શબ્દોના ઉપયોગ નહી કરવો જોઈએ. તેની સાથે જ ઝગડાથી બચવું જોઈએ. 
5. એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠવો શુભ ગણાય છે અને સાંજના સમયે નહી સૂવો જોઈએ. 
 
એકાદશીના દિવસે કરો આ કામ 
1. એકાદશીના દિવસે દાન કરવું ઉત્તમ ગણાય છે. 
2. એકાદશીના દિવસે શકય હોય તો ગંગા સ્નાન કરવો જોઈએ. 
3. લગ્ન સંબંધી મુશ્કેલીઓ દૂર કરવા માટે એકાદશીના દિવસે કેસર, કેળા કે હળદરનો દાન કરવો જોઈએ. 
4. એકાદશીનો વ્રત રાખવાથી ધન, માન-સન્માન અને સંતાન સુખની સાથે મનોવાંછિત ફળની પ્રાપ્તિ હોવાની માન્યતા છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments