Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલી 26 સગર્ભામાંથી 23 કોરોના પોઝિટિવ

Webdunia
શનિવાર, 16 મે 2020 (12:31 IST)
એક તરફ પ્રસૂતિ સહિતની કેટલીક સારવાર માટે મ્યુનિ. સંચાલીત શારદાબેન હોસ્પિટલમાં મહત્તમ મહિલાઓનો ધસારો  જોવા મળી રહ્યો છે ત્યારે બે દિવસ પહેલા પ્રસુતી માટે દાખલ થયેલી 26 મહિલાઓનો પૈકી 23 સગર્ભા મહિલા કોરોના સંક્રમીત મળી આવતાં તંત્રએ તત્કાલ આ મહિલાઓને એસવીપી તેમજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શહેરમાં વધુ નવા 261 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 14 દર્દીના મૃત્યુ થયા હતા. 15 દિવસ બાદ મોતની સંખ્યા ઘટી છે. છેલ્લે 29 એપ્રિલે 12 મોત નોંધાયા હતા તે પછી શુક્રવારે 14 મૃત્યુઆંક થયો છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં સૌથી વધુ 29 કેસ કુબેરનગરમાંથી મળી આવ્યા છે.

ખાડિયામાંથી 17, ઈસનપુરમાં 12, અસારવામાં 11, મણિનગરમાં 22, નવા વાડજમાં 10, નરોડામાં 12, વાસણામાં 11 જયારે દાણીલીમડા-જમાલપુરમાંથી 11-11 કેસ નોંધાયા હતા. એસવીપીના વધુ એક રેસિડેન્ટ ડોકટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. હોસ્પિટલમાં બે દિવસ પહેલા જ પ્રસૂતિ માટે દાખલ થયેલી 26 જેટલી મહિલાઓનો ટેસ્ટ કરવામા આવ્યો હતો. જે પૈકી 23 મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. શારદાબેન હોસ્પિટલે આ સ્થિતિમાં તમામ કોરોના પોઝિટિવ મહિલાઓને એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments