rashifal-2026

Child Cold-cough-fever - શરદી-ઉધરસ-તાવ બાળકો માટે ઘાતક

Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2023 (16:33 IST)
child Cold-cough-fever - શરદી-ખાંસી હંમેશા એલર્જીને કારણે આવે છે. જ્યારે પણ શિશુને ઠંડી લાગે છે કે પછી ખાંસી આવે ત્યારે માતા-પિતાનું પહેલું પગલું તેને પ્રાકૃતિક રીતે ઇલાજ આપવાનું હોવું જોઇએ. કોઇપણ માતા-પિતા તેમના નાનકડાં જીવને ભારે દવાઓ આપીને સાજો કરવા નથી ઇચ્છતા. અહીં કેટલાંક એવા જ પ્રાકૃતિક ઇલાજો સૂચવવામાં આવ્યાં છે તે તમારા બાળકની શરદી-ખાંસીને જડથી દૂર કરી દેશે.
 
કેટલાંક પ્રભાવી અને સુરક્ષિત ઘરેલુ ઉપચાર -
 
સ્ટીમ - નાક બ્લોક થઇ ગયું હોય તો સ્ટીમ એટલે કે નાસ લીધા સિવાય ઉત્તમ ઉપચાર બીજો કોઇ નથી. ગરમ હવા શિશુના કફને ઓગાળી દે છે. પણ હા, તમે તેને કેવી રીતે નાસ અપાવશો? તો આના માટે તમારા બાથરૂમમાં ગરમ શાવર ચાલુ કરી દરવાજો બંધ કરી દો. 15 મિનિટ માટે દિવસમાં બે વાર બાળકને તે જ રૂમમાં લઇને બેસી જાઓ. આનાથી ફેફસા અને નાકમાં થયેલું બ્લોકેજ દૂર થશે.
 
મધ અને લીંબુ - આ ઉત્તમ પ્રાકૃતિક ઇલાજ છે જે છાતીમાંથી કફને બહાર કાઢે છે. લીંબુ અને મધ મિક્સ કરીને આપવાથી ગળામાં રાહત મળે છે, ઇન્ફેક્શન દૂર થાય છે અને સાથે અન્ય લાભ તો ખરાં જ. આના માટે તમારે તમારા બાળકને ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરી પીવડાવવાનું છે.
 
હળદર - ખાંસીના ઇલાજ માટે આ એક સ્વસ્થ અને વિશ્વસનીય મસાલો છે. જો બાળક બહુ નાનું છે અને તે હજુ દૂધ પર છે તો તેને દૂધ પીવડાવતી વખતે તમારા બ્રેસ્ટ પર થોડી હળદર ચોપડી દો. જો બાળક બોટલ દ્વારા દૂધ પીવે છે તો તેના દૂધમાં થોડી હળદર મિક્સ કરી તેને પીવડાવો. શિશુને દિવસમાં બેવાર હળદરવાળું દૂધ પીવડાવવાથી રાહત મળશે.
 
તેલ માલિશ - જરૂરી તેલથી માલિશ કરવાથી બાળકનો કફ દૂર થાય છે. નિલગિરિ, મહેંદી, પિપરમિન્ટ વગેરેના તેલથી શિશુને માલિશ કરવાથી ફાયદો થાય છે. એક મિશ્રણ બનાવો જેમાં ઓલિવ ઓઇલ અને આ તેલોને મિક્સ કરી બાળકની છાતી પર માલિશ કરો. આમ કર્યા બાદ બાળકના શરીરને કપડા કે ચાદરથી આખું ઢાંકી દો જેનાથી જેથી તેના શરીરમાં ગરમી પેદા થાય અને તેલ પોતાની અસર દેખાડી શકે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold Silver Rate Today - સોના અને ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો છે, જાણો આજના ભાવ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર RSS નુ આવ્યુ પહેલુ નિવેદન, કહ્યુ - આ યુધ્ધ જલ્દી ખતમ થવુ જોઈએ

તેહરાનમાં વિરોધીઓ પર મોટો હુમલો, આઝાદી સ્ક્વેર પાસે અંધાધૂંધી; ઈરાન હચમચી ગયું

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી

શેરબજારમાં સતત ઘટાડો, રોકાણકારોએ લાખો કરોડ ગુમાવ્યા, શું મધ્ય પૂર્વ યુદ્ધ બજારને નીચે લાવશે

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાંગ - 14 માર્ચ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

Gudi Padwa 2026: 18 કે 19 માર્ચ ક્યારે છે ગુડી પડવો ? જાણો સાચી તિથિ અને શુભ મુહૂર્ત

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

Chaitra Navratri Mantra- ચૈત્ર નવરાત્રિમા કંઈ સમસ્યા માટે કયા મંત્રનો પાઠ કરશો ?

આગળનો લેખ
Show comments