Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોમાં કોરોનાના જોવાઈ રહ્યા અજીબ લક્ષણ Parents ન કરવી કોઈ પણ પ્રકારની બેદરકારી

Webdunia
ગુરુવાર, 3 જૂન 2021 (12:37 IST)
કોરોના વાયરસનો ખતરો ખત્મ થતુ નથી જોવાઈ રહ્યા છે. એક્સપર્ટની માનીએ તો ત્રીજી લહેર પણ જલ્દી આવશે જે બાળકોને પ્રભાવિત કરશે પણ ખતરો અત્યારેથી શરૂ થઈ ગયો છે. કર્નાટકમાં ત્રીજી લહેર આવતા પહેલા જ બાળકોમાં કોરોના સંક્રમણ તીવ્રતાથી વધી રહ્યુ છે. માત્ર 15 દિવસ એટલે કે 1 થી 6 મે 2021 ના વચ્ચે અત્યાર સુધી 19 હજાર બાળક કોરોનાની ચપેઅમાં આવી ગયા છે. દિલ્લીમાં સંક્રમણથી બે બાળકોની મોત થઈ ગઈ છે. હોસ્પીટલ મુજબ, બાળકોમો ઑક્સીજન લેવલ 30થી નીચે પહોંચી ગયો હતો અને લંગ્સમાં ઈંફેક્શન ખૂબ વધારે આવી ગયો હતું. વધતા કેસને જોતા સરકાર અલર્ટ થઈ ગઈ છે અને પેરેંતસને પણ કોઈ ન જુઓ ન કરવાની સલાહ આપી રહી છે. 
 
1. હેલ્થ એક્સપર્ટ મુજબ બાળકોમાં કોરોનાના અજીબ લક્ષણ મળી રહ્યા છે. 10 વર્ષની ઉમ્રના બાળકોમાં ગેસ્ટ્રોએંટેરાઈટિસની સમસ્યા જોવાઈ રહી છે. 
2. તે સિવાય બાળકને હળવુ તાવ, ખાંસી, શરદી શ્વાસ લેવામાં પરેશાની, થાક, ગળામાં ખરાશ, ઝાડા, ભોજનનો સ્વાદ ન આવવું, સૂંઘવાની ક્ષમતા ઓછી થવી, માંસપેશીઓમાં દુખાવો અને સતત નાક વહેવું, માથાનો દુખાવો અને ઉલ્ટીની શિકાયત છે. 
3.  કેટલાક બાળકોમાં નિમોનિયા તો કેટલાકમાં મલ્ટી સિસ્ટમ ઇનફ્લેમેટરી સિન્ડ્રોમ નામનું નવું સિન્ડ્રોમ પણ જોવા મળ્યું છે. બાળકોમાં મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના સામાન્ય લક્ષણો
 સતત તાવ, ઉલ્ટી, પેટમાં દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ(Rashes), થાક, ધબકારા તીવ્ર થવા, આંખોમાં લાલાશ, હોઠ પર સોજો, હાથ-પગની સોજો, માથાનો દુખાવો, શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ બનવી શામેલ છે.
 
જો બાળક સુસ્ત છે તેને ડાયરિયા કે ઝાડા છે અથવા શ્વાસ લેવામાં તકલીફ છે, તો તેને ન જુઓ ન કરવું. એક્સપર્ટ તાવ સાથેના આવા લક્ષણો પર સાવધ રહેવાની સલાહ આપી છે. વગર ડાક્ટરની સલાહ એન્ટિ-વાયરલ દવાઓ, સ્ટીરોઇડ્સ, એન્ટિબાયોટિક્સ વગેરે જેવી કોઈ દવાઓ ન આપવી.
 
બચાવ માટે પેરેંટસ આ વાતોની કાળજી રાખવી 
-બાળકને માસ્ક જરૂર પહેરાવો 
- ઘરથી બહાર નિકળવા ન દો. ખાસકરીને ભીડવાળી જગ્યા પર 
- જો ઘરમાં કોઈ સભ્યને કોરોના થઈ ગયો છે તો બાળકોને તેનાથી દૂર રાખો. 
- નવજાત કે બાળકમાં કોરોનાથી સંકળાયેલા કોઈ પણ લક્ષણ છે તો તરત ડાક્ટરથી સંપર્ક કરો. 
 
બાળકોને હેલ્દી ઈમ્યુનિટી બૂસ્ટર ડાઈટ આપતા રહો. નાળિયેર પાણી, સફરજન લીલા શાકભાજી, તેમની ઈમ્યુનિટી વધારશે. બાળકને વિટામિન ડી માટે તડકામાં શેકાઈ કરાવવી. હવે તો આયુર્વેદિક ઇમ્યુન ચોકલેટ
અને ટોફી પણ ઉપલબ્ધ છે.  જે તમે ડાક્ટરી સલાહ દ્વારા આપી શકો છો.
 
સુપ્રીમ કોર્ટ અને સરકાર પણ કોરોના ત્રીજા લહેરને લઇને ચિંતિત છે. આ અંગે સુપ્રીમ કોર્ટ કહે છે કે જો બાળકો હોસ્પિટલમાં જાય છે, તો માતાપિતાએ પણ તેમની સાથે જવું પડશે, તેથી આ ગ્રુપના લોકોને ટૂંક સમયમાં આપવામાં આવે અને રસીકરણ સમયસર પૂર્ણ થવું જોઈએ, જો હવેથી તૈયારીઓ શરૂ થાય તો પરિસ્થિતિનો સામનો કરી શકાશે.

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments