Dharma Sangrah

Chaitra Navratri - મા દુર્ગાના શસ્ત્રોમાં છિપાયા છે અનેક સંદેશ

Webdunia
મંગળવાર, 20 માર્ચ 2018 (10:14 IST)
નવરાત્રિમાં માતાનુ નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનુ ભવ્ય સ્વરૂપ સામે આવે છે..  તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે.  આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે. આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ છિપાયેલો છે. 
 
તલવાર - મા દુર્ગાના હાથમાં સુશોભિત તલવારની તેજ ધાર અને ચમક. .  જ્ઞાનનુ પ્રતિક છે. આ જ્ઞાન બધી શંકાઓથી મુક્ત છે.  તેની ચમક બતાવે છે કે જ્ઞાનના માર્ગ પર કોઈ શંકા હોતી નથી. 
 
ચક્ર - મા દુર્ગાની છેલ્લી આંગળી પર ચક્ર એ વાતનુ પ્રતિક છે કે આખી દુનિયા તેમના અધીન છે. ચક્ર સમસ્ત દુર્ગુણોને નષ્ટ કરીને ધર્મનો વિકાસ કરશે અને પાપોનો નાશ કરવામાં સહાયક રહેશે. 
 
કમળનુ ફૂલ - કમળ કીચડમાં રહીને તેનાથી અછૂતુ રહે છે. એ જ રીતે મનુષ્યએ પણ સાંસારિક કીચડ એટલે કે વાસના લોભ અને લાલચથી દૂર રહેવુ જોઈએ. વિપરિત પરિસ્થિતિયોમાં ધૈર્ય સાથે કર્મ કરવાથી સફળતા જરૂર મળે છે. 
 
ઓમ - દુર્ગાજીના હાથમાં દર્શાવેલ ૐ પરમાત્માનો બોધ કરાવે છે.  ૐમાં જ બધી શક્તિઓ રહેલી માનવામાં આવે છે.  ૐ સંપૂર્ણ બ્રહ્માંડનુ પ્રતિક છે. તેનાથી  મનને એકાગ્ર કરવામાં પણ મદદ મળે છે. 
 
લાલ રંગ - દેવીને સમર્પિત વસ્તુઓમાં લાલ રંગને અગ્નિ તત્વ ગ્રહ સૂર્ય અને મંગળ ગ્રહની કૃપા કાયમ  રાખવા માટે મુકવામાં આવે છે. 
 
શંખ - શંખ ધ્વનિ અને પવિત્રતાનુ પ્રતિક છે. જે શાંતિ અને સમૃદ્ધિનુ સૂચક છે. મા પાસે આવનારા બધા ભક્ત પૂર્ણત પવિત્ર થઈ જાય છે. 
 
ધનુષબાણ - દુર્ગાજી દ્વારા ધારિત તીર ધનુષ ઉર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે મા દુર્ગાના હાથમાં ધારણ વજ્ર દ્રઢતાનુ પ્રતિક છે.  જે મનુષ્યની શક્તિ અને ક્ષમતા બતાવે છે. 
 
ત્રિશૂલ - ત્રિશૂલના ત્રણ ધારદાર ભાગ માણસની ઉર્જા દ્રઢતા અને શક્તિનુ  પ્રતિનિધિત્વ કરે છે અને આ ગુણો પર આપણો પૂર્ણ નિયંત્રણ હોવાનો પણ સંદેશ આપે છે. 
 
સિંહની સવારી - સિંહને ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓનુ પ્રતિક માનવામાં આવે છે. મા દુર્ગાના સિંહ પર સવાર હોવાનો મતલબ છે કે જે ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકે છે તે શક્તિ છે. મા દુર્ગા આ સંદેશ આપે છે કે જીવનમાં દુર્ગુણો પર નિયંત્રણ કરી આપણે પણ શક્તિ સંપન્ન બની શકીએ છીએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments