Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્રી નવરાત્રી : આયુર્વૈદિક દ્રષ્ટિએ તેનું મહત્વ

Webdunia
સોમવાર 31 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસથી સતત નવ દિવસ સુધી લોકો માતાની આરાધના અને ભક્તિમાં લીન થઈ જશે. કહેવાય છે કે ચૈત્રી સંવત્સસરનો રાજા અને પ્રધાન શુક્ર હોવાથી કેરીનો વિપુલ પાક થાય છે અને વરસાદ પણ સારો પડે છે. ચૈત્રી નવરાત્રીનું જેટલુ ધાર્મિક મહત્વ છે તેટલુ જ આયુર્વૈદિક દ્રષ્ટિએ પણ મહત્વ છે.
 
P.R


ચૈત્રી નવરાત્રી વિશે આરોગ્‍ય અને આયુર્વેદને ધ્‍યાનમાં રાખી વૈદ્ય મુકેશભાઇ ગૌદાણી જણાવે છે કે, આખા વર્ષનું સ્‍વાસ્‍થ્‍ય જાળવવા માટે, કફ, જ્‍વર, ફ્‍લુનો પ્રકોપ ઓછો કરવા ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું ઘણું મહત્ત્વ છે. કડવા લીમડાનો મોર ખાઇ શકાય. કૂણા પાનનો રસ ચારથી પાંચ ચમચી લઇ શકાય. આ નવ દિવસમાં ઘણાં લોકો અલૂણાં વ્રત કરે છે. એટલે કે મીઠું લેતાં નથી કારણ કે આ સમય દરમિયાન લવણ રસ, ખારાશને કારણે કફ વધે છે.

 

આગળ વાંચો ચૈત્રી નવરાત્રીનું ધાર્મિક મહત્વ....


P.R

આ ઋતુ કફપ્રકોપની છે. કફ વધે નહીં એ માટે અલૂણાનું મહત્ત્વ છે. એ જ રીતે આ સિઝનમાં પરસેવો વધારે થાય છે. મીઠાને કારણે પરસેવો વધારે થાય, શોષ પડે. આમ ન થાય તે માટે પણ મીઠું ઓછું ખાવું જોઇએ. ગળ્‍યો, ખાટો અને ખારો રસ કફવર્ધક છે તેથી તેવો ખોરાક આ ઋતુમાં ન લેવો. આપણી ભારતીય સંસ્‍કૃતિ અને ધર્મોને નામે ગોઠવેલા આવા ઋતુઓ પ્રમાણેના રિવાજ આરોગ્‍યને ધ્‍યાનમાં રાખીને ગોઠવાયા હોય એમ લાગે છે.

ચૈત્રી નવરાત્રિમાં ઘણાં લોકો ઉપવાસ કરે છે. અથવા મીઠું લેતાં નથી. તેના ધાર્મિક મહત્ત્વ વિશે જણાવતાં શાસ્ત્રી હસમુખભાઇ ત્રીવેદી કહે છે કે, નવરાત્રિમાં ઉપવાસનું મહત્ત્વ છે. ‘ઉપ' એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઈશ્વરની નજીક નિવાસ કરવો એટલા માટે ઉપવાસ કરવાનો છે. એટલે કે ખોરાક ન લેવો. ભોજન લેવાથી શરીર આળસુ બની જાય માટે જ ખોરાક પર કંટ્રોલ હોય, વ્‍યક્‍તિ ભૂખી હોય તો તેને હમેશાં યાદ આવ્‍યા કરે કે તેણે શા માટે ઉપવાસ કર્યો છે. તેને ઈશ્વરનું વિસ્‍મરણ ન થાય અને ચૈત્રી નવરાત્રિમાં અલૂણું ખાવાનું મહત્ત્વ એટલા માટે છે કે ચૈત્ર મહિનામાં મીઠું ખાવાથી શરીરને નુકસાન થાય છે.

આ સમયમાં થતાં કફ, પિત્ત અને શરીરમાં ભેગાં થયેલાં કચરાને દૂર કરવા માટે, શરીરને શુદ્ધ કરવા માટે ઉપવાસનું મહ્ત્વ છે. શિવપુરાણમાં પણ ઓખા અને કાર્તિકેયની કથામાં, ઓખા મીઠામાં સંતાઇને ઓગળી ગઈ એ સંદર્ભનો ઉલ્લેખ લઇ મીઠાનો વધારે પ્રમાણમાં ઉપયોગ નહીં કરવાનું મહત્વ છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments