બોલીવુડમાં પોતાના શાનદાર અભિનય દ્વારા સ્થાપિત થનારી અભિનેત્રી કેટરીના કેફને સલમાનની શોધ માનવામાં આવી રહી છે. એશ્વર્યા રાયથી છુટા પડ્યા પછી સલમાનની જીંદગીમાં કેટ આવી. બંને વચ્ચે પ્રેમ થયો.. પરંતુ જ્યારે કેટ સફળતાના શિખર પર ચઢી ત્યારે તે સલમાનથી દૂર થઈ ગઈ. જો કે જ્યારે પણ મુશ્કેલી આવે છે ત્યારે સલમાન તેની પાસે પહોંચી જાય છે. પરંતુ લગ્નના નામ પર તે પોતાની જાતને સિંગલ બતાવે છે. આજે કેટ અને સલમાન ફક્ત સારા મિત્રો છે.
લંડનમાં ભણેલી કેટરીનાની હિંદી ઘણી નબળી છે. પરંતુ છતા પણ બોલીવુડમાં ઘણા નિર્દેશકોની પ્રથમ પસંદ કેટરીન અછે. આજે પણ કેટરીના પાસે ઘણી મોટા બેનરની ફિલ્મો છે. નિર્દેશક અલી અબ્બાસ જફરની આગામી ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હન'માં કેટ ઈમરાન ખાન સાથે જોવા મળશે. ફિલ્મ એક થા ટાઈગર'માં એ સલમાનની સાથે જોવા મળવાની છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે તે યશ ચોપડાની એક ફિલ્મમાં શાહરૂખની સાથે પણ જોવા મળશે.
અભિનેત્રી કેટરીના કેફ પહેલીવાર રણબીર સાથે ફિલ્મ 'રાજનીતિ'માં આવી. આ ફિલ્મમાં સાથે કામ કરતા કરતા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. તે રણબીરની એટલી દિવાની બની ગઈ કે તેણે સલમાનને છોડી દીધો. પરંતુ જ્યારે કેટરીનાએ રણબીરને લગ્ન કરવા માટે કહ્યુ તો રણબીરે ના પાડી દીધી અને બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયો.
કેટરીનાને એક જાણીતી ફેશન પત્રિકા 'પીપુલ' એ દેશની સોથી સુંદર મહિલાના ખિતાબથી સન્માની છે. બોલીવુડમાં કેટને લકીચાર્મ માનવામાં આવે છે. કેટ જે ફિલ્મમાં હોય છે એ ફિલ્મ હિટ થવી લગભગ નક્કી હોય છે. કેટની લોકપ્રિયતાને કેશ કરવા માટે દરેક નિર્દેશક આ ચહેરાને પોતાની ફિલ્મમાં લેવા માંગે છે. કેટ પહેલીવાર અભિનેતા ઋત્વિક સાથે ફિલ્મ 'જીંદગી ના મિલેગી દોબારા'માં રોમાંસ કરતી જોવા મળશે.