ડીએનએ અખબાર સાથેની વાતચીતમાં સલમાને કહ્યુ હતું કે તેણે વાત વાતમાં ઉકળી જતા મગજના પારાને શાંત પાડી દીધો છે અને "મને ઘણી શાંતી લાગે છે. મને લાગે છે કે તમારા રસ્તે આવતી દરેક વસ્તુ સામે લડવાને બદલે તેનો સ્વીકાર કરવો જોઈએ. ઘણીવાર, તમે નસીબને તેની રીતે કામ કરવા દો અને માત્ર વહેણ સાથે ચાલ્યા જાઓ તે વધારે સારું છે."
તેના લગ્ન અને લવલાઈફ વિશે પૂછાતા સલમાને કહ્યુ હતું કે, "ચોક્કસ. મારી લવ લાઈફ ઘણી રોમાંચક છે. મારી આસપાસ કેટલો પ્રેમ છે, મારા પરિવારનો, મિત્રોનો, ચાહકોનો...તે જ ખરેખરમાં મારી લાઈફલાઈન છે."
કેટરિના કૈફ સાથેની પોતાની કેમિસ્ટ્રી વિશે વાત કરતા સલમાને ખાને કહ્યુ હતું કે ઘણા ચઢાવ-ઉતારમાંથી પસાર થઈ છે. અલબત્ત, સલમાન તેને હજી પણ પ્રેમ કરે છે કે નહીં તે વાત તો સલમાન ખાન જ જણાવી શકે.