લગભગ 10થી 12 ટ્વિટ્સ કરીને સલમાન ખાને કહ્યુ કે તેઓ આ ફિલ્મને જોશે. જો કે જ્યારે તેમના એક ચાહકે જ્યારે તેમને વિશ્વરૂપ સાથે જોડાયેલા વિવાદ અંગે પશ્ન કર્યો તો તેમણે કોઈ વિશેષ જવાબ ન આપ્યો અને કહ્યુ કે આ અંગે તેઓ ફિલ્મ જોઈને જ નિવેદન આપી શકે છે. ત્યારબાદ સલમાન ખાન સતત ટ્વિટ કરતા રહ્યા અને તેમણે આ વિવાદિત ફિલ્મ પર છાપાઓમાં છપાયેલા કેટલાક લેખો પણ અપલોડ કર્યા. સલમાને કહ્યુ કે તેઓ આ ફિલ્મને જોશે અને પછી નિર્ણય કરશે કે આ ફિલ્મ તેમને કેવી લાગી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વરૂપના રજૂઆતને લઈને તમિલનાડુમાં વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટના આદેશ પછી પણ ફિલ્મ રજૂ નથી થઈ શકી. સૂબેની સરકારે હાઈકોર્ટમાં ફિલ્મના કેટલાક અંશને લઈને અરજી નોંધાવી છે. બીજી બાજુ કમલ હસને કહ્યુ કે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જો તેમને ન્યાય નહી મળે તો તેઓ દેશ છોડી દેશે.