Festival Posters

સત્યમેવ જયતે : લોકસભાએ બાળ યૌન સુરક્ષાનું બીલ પાસ કર્યુ

Webdunia
બુધવાર, 23 મે 2012 (14:52 IST)
P.R
આમિર ખાનનો પહેલો ટીવી શો 'સત્યમેવ જયતે' ખરેખર જાદુઈ છડી સમાન છે. પહેલા એપિસોડમાં સ્ત્રીભૃણ હત્યાના મુદ્દા વિશે વાત કરીને આમિરે લોકોને સફાળા જાગતા કરી દીધા હતાં અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતને ભૃણહત્યા મુદ્દે ડોક્ટરો પર ચાલી રહેલા કોર્ટ કેસોને એકઠા કરીને એક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે વિનંતી કરી હતી. મુખ્ય મંત્રીએ પણ સમજદારી દાખવીને આમિરની આ વિનંતી માન્ય રાખી છે.

ત્યાર બાદ બીજા એપિસોડમાં આમિર ખાને બાળ યૌન શોષણના સંવેદનશીલ મુદ્દાને રજૂ કર્યો હતો. તેણે આ એપિસોડમાં કહ્યુ હતું કે પાર્લામેન્ટમાં બાળ યૌન શોષણને લગતું એક બીલ પેન્ડિંગ પડ્યુ છે. શોના અંતે તેણે દર્શકોને વિનંતી કરી હતી કે તેઓ આમિરને સમર્થન આપે જેથી તે સરકારને લખી રહેલા પત્ર દ્વારા આ બિલ પાસ કરવા માટે દબાણ ઊભુ કરી શકે. હવે, લોકસભાએ આ બિલ પાસ કરી દીધું છે.

આમિરે પોતાના ટ્વિટર પર આ સારા સમાચાર વહેચતા લખ્યુ હતું કે, "ગ્રેટ ન્યૂઝ! લોક સભાએ આજે 'જાતીય હુમલા સામે બાળકોના રક્ષણ માટેનું બિલ' પાસ કરી દીધુ છે. અવિશ્વનીય. સુપર ન્યૂઝ!"

આમિરની મહેનત રંગ લાવી રહી છે....આ માટે આમિર અને ટીમને શુભેચ્છા...

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?