Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવસેનાએ કરીનાને સાડી આપી

Webdunia
IFM
જાણવા મળ્યુ છે કે શિવસેનાના સ્થાનીક નેતા જીતેન્દ્ર જાનવલેએ કરીનાને 1200 રૂપિયાની નારંગી રંગની સાડી મોકલી આપે છે. જેથી એ પોતાની ઉઘાડી પીઠ ઢાંકી શકે. જો કે કરીનાએ આના પર કોઈ કમેંટ કરવાની ના પાડી દીધી છે.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરે ફિલ્મ 'કુરબાન'ના પોસ્ટર પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લગાવનારી શિવસેના પર પલટવાર કરીને કહ્યુ કે મને હજુ સુધી તેમની તરફથી કોઈ સાડી નથી મળી.

કરીનાની ફિલ્મ 'કુર્બાન'ના પ્રમોશન દરમિયાન કહ્યુ કે મને અત્યાર સુધી કોઈ સાડી શિવસેના તરફથી નથી મળી, પરંતુ મને આશા છે કે આ સારી હશે. તેના આ નિવેદનનો જવાબ આપવા શિવસેનાએ સાડી મોકલી આપી.

આ ફિલ્મમાં તેમની સાથે તેમનો બોયફ્રેંડ સેફ અલી ખાન પણ છે. સેફની સાથે ઉઘાડી પીઠ બતાવનારા પોસ્ટરને અભદ્ર બતાવવા પર કરીનાએ કહ્યુ કે મને આ પોસ્ટરમાં કંઈ જ ખોટુ નથી દેખાતુ. મારુ માનવુ છે કે આ ખૂબ જ સૌદર્યપ્રેરક છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શિવસેના કાર્યકર્તાઓએ કરીનાની આગામી ફિલ્મ 'કુરબાન'ના પોસ્ટરમાં તેમની પીઠ બતાવવાને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શિવસેનાના સ્થાનીય નેતા જીતેન્દ્ર જાનવલેએ કહ્યુ હતુ કે મને એ નથી સમજાતુ કે અધિકારી આ પ્રકારના પોસ્ટર્સ પાસ કેવી રીતે કરી દે છે. રસ્તામાંથી સ્ત્રીઓ અને બાળકો પણ પસાર થાય છે.

જીતેન્દ્ર જાનવલેના નેતૃત્વ હેઠળ શિવસેનાની સ્ત્રી કાર્યકર્તાઓએ કરીનાના એ પોસ્ટર આગળ સાડી બાંધી દીધી હતી જેમા તેમણે ઓછા કપડામાં બતાવવામાં આવી છે.

તેમણે કહ્યુ હતુ કે અમે ટૂંક સમયમાં જ કરીનાના ઘરે જઈશુ અને તેમને સાડી ભેટ આપીશુ. કરીનાએ કહ્યુ હતુ કે પાર્ટી તરફથી હજુ સુધી સાડી નથી મળી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 20 નવેમ્બરના રોજ રજૂ થઈ રહી છે અને આ ફિલ્મમાં સેફ અલી ખાન અને કરીના કપૂર ઉપરાંત વિવેક ઓબેરોયની પણ મુખ્ય ભૂમિકા છે.

ફિલ્મ 'કુરબાન'ની ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments