Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિત્રાંગદા સિંહ અને જ્યોતિ રંધાવા વચ્ચે છુટાછેડા

Webdunia
શુક્રવાર, 18 એપ્રિલ 2014 (14:22 IST)
બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ અને ગોલ્ફર જ્યોતિ રંધાવા વચ્ચે અણબનાવ હોવાના સમાચાર છેલ્લાં કેટલાંક સમયથી આવી રહ્યા હતા અને તેઓ એકબીજાથી અલગ થઈ જવાનું વિચારતા હતા. જોકે, આજે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સેલિબ્રિટિ કપલે છૂટાછેડા લઈ લીધા છે.
 
ગુડગાંવની ફેમિલી કોર્ટે છૂટાછેડા પર મહોર મારી દીધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ બંનેએ ગત વર્ષે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી.  જોકે તે સમયે કોર્ટે બંને વચ્ચે સમાધાન કરાવીને અલગ ન થવા અંગે કહ્યું હતું. તેમ છતાં પણ બંને વચ્ચે કોઈ મનમેળ સધાતા કોર્ટે નાછૂટકે છૂટાછેડાના કાગળો પર મહોર મારી હતી. આ દંપતિને એક પુત્ર પણ છે. જેનું નામ જોરાવર છે. અદાલતે પુત્રને તેની માતા ચિત્રાગંદા પાસે રહેવાની મંજૂરી આપી છે.
 
આ બંનેના લગ્ન 13 વર્ષ પહેલાં થયા હતા. બંને સેલિબ્રિટિ ઘણીવાર સમાચારમાં ચમક્યા છે. પરંતુ પાછલા કેટલાંક વર્ષોથી બંને વચ્ચે અણબનાવ હોવાના સમાચાર વહેતા થયા હતા. જેના કારણે બંને જણા ખૂબ ટેન્શનમાં રહેતા હોવા છતાં મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા.
 
ઉલ્લેખનીય છે કે ચિત્રાંગદા છેલ્લા થોડા સમયથી દિલ્હી છોડીને મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી પરંતુ જ્યોતિ રંધાવા અહીં ભાગ્યે જ આવતો હતો. રંધાવા દિલ્હીમાં જ રહેતો હતો. જે બાદ બંનેએ અલગ થઈ જવાનો નિર્ણય કર્યો હતો. ચિત્રાંગદા સિંહ અને જ્યોતિ રંધાવાએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નહોતી.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments