Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકલવ્યની પસંદગીથી નારાજગી

Webdunia
IFMIFM

વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ એકલવ્યને ભારત તરફથી પુરસ્કાર માટે મોકલવામાં આવી રહી છે. આ ફિલ્મને મોકલવાને કારણે ફિલમ ઉદ્યોગમાં ઘણા લોકો નાખુશ છે. તેમનું માનવું છે કે વિધુની આ ફિલ્મ કરતાં ઘણી સારી ફિલ્મો છે અને એકલવ્યને ઓસ્કાર માટે મોકલવી એ યોગ્ય નથી.

ઓસ્કારમાં ફિલ્મને મોકલવા માટે જે પસંદગી સમિતિ બનાવી હતી તેઓએ દસ ફિલ્મો જોઈને એકલવ્યને પસંદ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભાવના તલવારની ધર્મ અને એકલવ્યની વચ્ચે છેલ્લો મુકાબલો હતો અને ઘણી માથાક્ય્ટ બાદ એકલવ્યની પસંદગી કરવામાં આવી હતી.

એકલવ્યને ધર્મની ટક્કર સામે એટલા માટે પસંદગી કરવામાં આવી કે ધર્મના નિર્માતામાં એટલી હિંમત નથી કે તે પોતાની ફિલ્મને સારી રીતે પ્રમોટ કરી શકે. કેમકે ઓસ્કાર ઓવોર્ડ મેળવવા માટે પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે ખુબ જ ધન ખર્ચવું પડે છે.

ઘણા લોકોએ પસંદગી સમિતિના સદસ્યોને યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યો છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇંડિયા (એફએફઆઈ) ઓસ્કાર ફિલ્મને પ્રવેશ અપાવવા માટે ફિલ્મની પસંદગી કરે છે.
IFMIFM


આ સંસ્થા દેશભરમાં ફિલ્મોથી જોડાયેલ 10 લોકોની એક સમિતિ બનાવે છે જે ઓસ્કારમં પ્રવેશ અપાવવા માટે ફિલ્મની પસંદગી કરે છે. આમાં ખાસ કરીને બી-ગ્રેડના ફિલ્મ કલાકારો રહે છે.

પાછલા વર્ષે પણ પહેલી ફિલ્મને ઓસ્કારમાં મોકલવાથી વિવાદ જાગ્યો હતો. ઘણા લોકોનું માનવું હતું કે બ્લેક આના કરતાં ઘણી સારી હતી. આ વર્ષે ચક દે ઇંડિયા તરફ વધારે મત છે.

એકલવ્યમાં અમિતાભ, સંજય, વિદ્યા અને સૈફ જેવા સ્ટાર હતાં છતાં પણ ફિલ્મને બોક્સ ઓફીસમાં સફળતા પ્રાપ્ત થઈ નહોતી.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments