Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિર 'તલાશ' ને લઈને ચૂપ કેમ રહેવા માંગે છે ?

Webdunia
P.R
વર્ષની બહુવિલબિંત ફિલ્મોમાંની એક 'તલાશ' આખરે 30મી નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આમિર ખાન, રાની મુખર્જી અને કરિના કપૂર અભિનીત આ ફિલ્મ તેની શરૂઆતથી જ ચર્ચામાં રહી છે.

સાંભળવા મળ્યા અનુસાર તો આમિર ખાન અને ફિલ્મની ડાયરેક્ટર રીમા કાગતી વચ્ચે મતભેદો સર્જાયા છે પણ બન્ને જણાએ આ વિશે કંઈ બોલવાની ના પાડી હતી અને કહ્યુ હતું કે તેમની વચ્ચે બધુ બરાબર છે.

પોતાના પરફેક્શન માટે જાણીતો આમિર ખાન નથી ઈચ્છતો કે તેની ટીમ એવી કોઈ પણ સ્પષ્ટતા આપે કે આ ફિલ્મ અન્ય ઘણી ફિલ્મોથી પ્રેરિત છે.

એક અખબાર સાથે વાત કરતા સૂત્રએ જણાવ્યુ હતું કે, "અફવાઓ ચાલી રહી હોવા છતાં તેણે પોતાની ટીમને કંઈ પણ ન કહેવા માટે સૂચના આપેલી છે. તે ઈચ્છે છે કે બધા અત્યારે ફિલ્મના પ્રમોશન પર ધ્યાન આપે."

' તલાશ'ની સરખામણી તામિલ ફિલ્મ 'અન્નિયાન' અને લિઓનાર્ડો ડિકેપ્રિયોની 'શરટ આઈલેન્ડ' સાથે થઈ રહી છે. જો કે, આમિર નથી ઈચ્છતો કે તેની ટીમ આ વિશે સંબંધિત કોઈ પણ પ્રશ્નનો જવાબ આપે.

સૂત્રએ ઉમેર્યું હતું કે, "તે રીમા અને માર્કેટિંગ હેડના સંપર્કમાં છે. તે દરેક વાતની માહિતી રાખી રહ્યો છે. તે ઓક્ટોબરના અંત સુધીમાં ભારત પાછો આવી જશે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ફિલ્મનું પ્રમોશન શરૂ કરશે."

હવે જ્યારે આમિર ખાને પોતે આ આદેશ આપ્યો હોવાથી તેની ટીમ પાસે તેને ફોલો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments