Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિર ખાન વિદ્યા બાલન સાથે કામ કરવા આતુર

Webdunia
P.R

વિદ્યા બાલનનો જાદુ હવે બોલિવૂડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાન પર પણ ચાલી ગયો હોય તેમ લાગે છે. આમિરે નેશનલ એવોર્ડ વિજેતા વિદ્યા બાલન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આમ તો પહેલી ફિલ્મ 'પરિણીતા' સાથે જ તેણે સાબિત કરી દીધુ હતું કે તે લાબી રેસનો ઘોડો (ઘોડી) છે. જો કે, તેની સફળતાનો અસલી ગ્રાફ 2009માં આવેલી ફિલ્મ 'પા' સાથે શરૂ થયો. ત્યાર બાદ 2010માં આવેલી વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'ઈશ્કિંયા', 2011માં રાજ કુમાર ગુપ્તાની ફિલ્મ 'નો વન કિલ્ડ જેસ્સિકા', મિલન લુથરિયાની ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' અને છેલ્લે સુજોય ઘોષની ફિલ્મ 'કહાની' પછી તો તેને બોલિવૂડની લેડી ખાનનો ખિતાબ મળવા લાગ્યો છે.

પોતાની પરફેક્ટ સ્ટાઈલને કારણે તેની તુલના હવે આમિર ખાન સાથે થઈ રહી છે.

આમિરે કહ્યુ હતું કે, "મને લાગે છે કે આપણે વિદ્યાને તેના નામથી જ ઓળખવી જોઈએ અને તેના માટે હું કોણ છું જેથી તેને ખાન કહીએ? તે બહુ જ પ્રતિભાશાળી છે અને અદ્દભુત અભિનેત્રી છે. મને સાથે કામ કરવું ગમશે."

અલબત્ત, આમિરે વિદ્યાની છેલ્લી ફિલ્મ નથી જોઈ તેમ છતાં તે 34 વર્ષીય વિદ્યાની પ્રશંસા કરતા રોકી નથી શકતો.

તેણે કહ્યુ હતું કે, "મેં હજી સુધી કહાની નથી જોઈ પણ મેં ફિલ્મ વિશે ઘણી સારી વાતો સાંભળી છે અને લોકો તેની પ્રશંસા કરી છે અને ફિલ્મને પસંદ કરી છે. વિદ્યાજી વિશે પણ મેં ઘણી સારી વાતો સાંભળી છે. લોકોએ તેની છેલ્લી ફિલ્મો પસંદ કરી છે, વખાણી છે અને હું તેને શુભેચ્છા પાઠવું છું."

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments