Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય કુમારને ગુજરાતમાં હોટલ ખોલવી છે

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2013 (15:12 IST)
P.R


ફિલ્મ ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા’ના પ્રમોશન માટે ગઈ કાલે અમદાવાદ આવેલા ફિલ્મના ઍક્ટર અક્ષયકુમારે પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અને એ પછી ગુજરાતનાં રેવન્યુ મિનિસ્ટર આનંદીબહેન પટેલ સાથે મીટિંગ કરી હતી. મોદી અને આનંદીબહેન પટેલ સાથેની અક્ષયની આ મીટિંગ કરાવી આપવાનું કામ નરેન્દ્ર મોદીના અંગત મિત્ર એવા પરેશ રાવલે કર્યું હતું. પરેશ રાવલ નરેન્દ્ર મોદી સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે એ જગજાહેર છે. નરેન્દ્ર મોદીની ઑફિસમાંથી જાણવા મળ્યાં મુજબ ફિલ્મના પ્રમોશન માટે અક્ષય, ઇમરાન અને સોનાક્ષી એમ ત્રણ જ આવવાનાં હતાં, પણ અક્ષય અને નરેન્દ્ર મોદીની મીટિંગ કરાવવાની હોવાથી પરેશ રાવલ ખાસ અમદાવાદ આવ્યા હતા અને અઢી કલાક સુધી બન્ને મીટિંગમાં સાથે રહ્યા હતા.

મજાની વાત એ છે કે દેશના ભાવિ વડા પ્રધાન માનવામાં આવતાં નરેન્દ્ર મોદીનો હમણાં વિરોધ કરનારા શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી ગઈ કાલે અમદાવાદમાં હતી. એ પછી પણ મોદીને મળવા માટે ગઈ નહોતી. એવું જ હીરો ઇમરાન ખાનનું હતું. પરેશ રાવલ અને અક્ષયકુમાર જ્યારે મોદીને મળવા ગાંધીનગર ગયા ત્યારે ઇમરાન અને સોનાક્ષી બિચારાં પ્રમોશનનું કામ કરતાં રહ્યાં હતાં.
P.R

અક્ષયકુમાર ગુજરાતમાં પ્રોજેક્ટ કરવા માગતો હોવાથી આનંદીબહેન પટેલ સાથે તેની મીટિંગ ગોઠવવામાં આવી હતી. આનંદીબહેન ગુજરાતનાં રેવન્યુ મિનિસ્ટર છે અને આ પદના હિસાબે તે અક્ષયકુમારને જગ્યાની ફાળવણી કરાવી શકે એમ છે. અક્ષયકુમાર ગુજરાતમાં એક નહીં પણ બબ્બે પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યો છે. આ બે પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ વિન્ડ-એનર્જીનો છે તો બીજો પ્રોજેક્ટ હોટેલ ડેવલપમેન્ટનો છે. આનંદીબહેન રેવન્યુ ઉપરાંત શહેરી વિકાસ મંત્રાલય પણ સંભાળતાં હોવાથી અક્ષયના તેના આ બીજા પ્રોજેક્ટમાં પણ આનંદીબહેન હેલ્પરૂપ બની શકે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments