Webdunia - Bharat's app for daily news and videos

Install App

માધુરીને પોતાનુ લગ્નજીવન ડિસ્ટર્બ થવાનો ભય કેમ સતાવી રહ્યો છે ?

Webdunia
સોમવાર, 13 જૂન 2016 (12:51 IST)
રાજકુમાર હિરાની હાલ સંજય દત્તના જીવન પર એક ફિલ્મ બનાવી રહ્યા છે. ગયા વર્ષે એવુ સાંભળવા મળ્યુ હતુ કે સંજય દત્તની બાયોપિકમાં માધુરી કદીક્ષિત સાથે જોડાયેલ કોઈ પ્રસંગ જોવા નહી મળે. હિરાનીએ માધુરી અને સંજય દત્તની રિલેશનશિપ સાથે જોડાયેલા બધા પ્રસંગ સ્ક્રિપ્ટમાંથી હટાવી દીધા છે. હવે સાંભળવા મળ્યુ છે કે માધુરીએ સંજય દત્તને ફોન કરીને આ કંફર્મ કરવા માટે કહ્યુ કે છે કે ક્યાય તેમનો ઉલ્લેખ આ બાયોપિકમાં તો નથી થઈ રહ્યો ને  ? 
 
એવુ કહેવાય છે કે એક સમય સંજય દત્ત અને માધુરે દીક્ષિત રિલેશનશિપમાં હતા. સૂત્રોએ જણાવ્યુ કે માધુરી દીક્ષિત અને સંજય દત્તના બ્રેકઅપ થયે લાંબો સમય વીતી ચુક્યો છે. આ બંને હવે પોત પોતાના પરિવાર સાથે ખુશ છે. આવામાં બંને નહી ઈચ્છે કે ફરી એ સમયને યાદ કરવામાં આવે.  તેથી માધુરીએ સંજયને કહ્યુ કે તે તપાસ કરી લે કે તેમની રિલેશનશિપને લઈને ફિલ્મમાં કોઈ સીન તો નથી ને ? જેના જવાબમાં સંજય દત્તે માધુરીને વિશ્વાસ અપાવ્યો કે મેકર્સ તેમની રિલેશનશિપ સાથે જોડાયેલા બધા પ્રસંગો પહેલા જ હટાવી ચુક્યા છે. 
 
માધુરી દીક્ષિત અને સંજય દત્તે એક સાથે ખલનાયક સાજન અને સાહિબા જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. એવુ કહેવાય છે કે સંજય જ્યારે 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપમાં જેલ ગયા હતા ત્યા સુધી માધુરી તેમની સાથે રિલેશનશિપમાં હતી. પણ એ ઘટના પછી તેણે જુદા થવાનો નિર્ણય કરી લીધો હતો. 
 
એવુ કહેવાય છે કે સંજય દત્તની બાયોપિક માટે રણબીર કપૂરને સાઈન કરવામાં આવ્યો છે. રણબીર ઉપરાંત બે અભિનેત્રીઓને સાઈન કરવામાં આવી છે. એક સંજય દત્તની પ્રથમ પત્ની રિચા શર્માનું પાત્ર ભજવશે અને બીજી તેમની વર્તમાન પત્ની માન્યતા દત્તના રોલમાં જોવા મળશે. 
 

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments