Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિનોદ ખન્નાના અંતિમ સંસ્કાર પર આજના સુપરસ્ટાર પર નારાજ થયા ઋષિ કપૂર, ચમચાઓ પાર્ટીમાં જરૂર જાય છે

Webdunia
શુક્રવાર, 28 એપ્રિલ 2017 (13:28 IST)
ગુરૂવારે 70 વર્ષના અભિનેતા વિનોદ ખન્નાના નિધન પર પહોંચેલા એક્ટર ઋષિ કપૂર ખૂબ ગુસ્સામાં જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર આ એકદમ સિનિયર અભિનેતાના અંતિમ સંસ્કારમાં ન પહોંચનારા આજકાલના સુપરસ્ટાર થી નારાજ હતા.  એક્ટર વિનોદ ખન્નાનુ ગુરૂવારે મુંબઈની હોસ્પિટલમાં કેંસરથી મોત થઈ ગય્ આવામાં તેમના જમાનાના અનેક સ્ટાર જેવા કે હેમા માલિની, ઋષિ કપૂર, રજનીકાંત અને શત્રુધ્ન સિન્હા જેવા કલાકારોએ તેમના નિધન પર સોશિયલ મીડિયા પર ખૂબ દુખ બતાવ્યુ હતુ.  અમિતાભ બચ્ચન જેમણે એક્ટર વિનોદ ખન્ના સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે તેમના નિધનના સમાચાર સાંભળીને એક ઈંટરવ્યુને અધવચ્ચેથી જ છોડીને તેમના પરિવારને મળવા નીકળી ગયા. 
 
 
આવામાં ઋષિ કપૂરે એ પણ બતાવ્યુ કે તેમના પુત્ર રણવીર કપૂર અને તેમની પત્ની નીતૂ સિંહ દેશમાં નથી તેથી તેઓ આવી શક્યા નહી. 
 
આ ઘટના પર ઋષિ કપૂર ખૂબ ઈમોશનલ પણ થઈ ગયા. તેમને ટ્વીટ કર્યુ, 'આવુ કેમ ? અહી સુધી કે હુ અને ત્યારબાદ પણ. જ્યારે હુ મરીશ તો મને આ માટે તૈયાર થઈ જવુ જોઈએ. મને ખભો આપવા કોઈ નહી આવે. આજના સુપર સ્ટારથી હુ ખૂબ ખૂબ નારાજ છુ.'   
 
જો કે ઋષિ કપૂરે આ ગુસ્સો કોણા પર ઉતાર્યો છે એ તો તેમને સ્પષ્ટ નથી કર્યુ. પણ ઉલ્લેખનીય છે કે વિનોદ ખન્નાની સાથે અનેક જૂનિયર એક્ટર્સ જેમા ત્રણેય ખાન મતલબ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનનો પણ સમાવેશ છે.  આ ઉપરાંત શત્રુધ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા પણ છે. તેમાથી એક પણ એક્ટરે વિનોદ ખન્ના ના અંતિમ સંસ્કારમાં ભાગ ન લીધો.  સંજય દત્ત પણ જોવા ન મળ્યા.  જ્યારે કે જેમના પિતા સુનીલ દત્તની ફિલ્મ્ન મન કા મીત થી જ વિનોદ ખન્નાએ પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. જો કે સંજય દત્તે તેમના અવસાન પછી એ નિવેદન રજુ કર્યુ હતુ કે વિનોદ ખન્ના તેમના પરિવાર જેવા છે. 
 
વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં તેમના સમયમાં અનેક કલાકાર પહોંચ્યા.  વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં પોતાના પુત્ર અભિષેક સાથે પહોંચ્યાઅ અમિતાભ બચ્ચન. 

ડાયરેક્ટર કરણ જોહર અને ફિલ્મ બાહુબલીની આખી ટીમે વિનોદ ખન્નાના નિધન પછી પોતાની ફિલ્મનુ મુંબઈમાં થનારુ પ્રીમિયર કેંસલ કરી દીધુ હતુ. 

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments