બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના ડાબા ઘૂંટણની આર્થોસ્કોપિક સર્જરી ગુરૂવારે કરવામાં આવી. જે સફળ રહી. તેમણે ત્રન ચાર દિવસ સંપૂર્ણ રીતે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. એક ચિકિત્સકે આ માહિતી આપી. શાહરૂખની સર્જરી અહીના બેચ કૈંડી હોસ્પિટલમાં થઈ.
49 વર્ષીય અભિનેતાના ઘૂંટણના ઓપરેશન કરનારા શલ્ય ચિકિત્સક સંજય દેસાઈએ એક નિવેદનમાં કહ્યુ, "શાહરૂખના ઘૂંટણમાં વારેઘડીએ દુ:ખાવો થઈ રહ્યો હતો. બીજી બાજુ અનેક મહિનાથી તેમના ઘૂંટણ પર સોજો પણ હતો." તેમણે જણાવ્યુ કે ઓપરેશન સફળ રહ્યુ. તેઓ હવે સારુ અનુભવી રહ્યા છે.