Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ ખાનને ઈડીએ ત્રીજી સમન મોકલ્યુ, KKR ના શેરોમાં ગડબડીનો મામલો

Webdunia
બુધવાર, 28 ઑક્ટોબર 2015 (11:25 IST)
બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનને એનફોર્સમેંટ ડાયરેક્ટોરેટ (ED)એ એકવાર ફરી સમન મોકલ્યુ છે. નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ  (KRSPL)ના શેરોની પ્રક્રિયામાં ઈડીએ શાહરૂખને ત્રીજીવાર સમન મોકલ્યુ છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલની આ ફ્રેંચાઈજીના માલિકી અધિકાર શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીજ પાસે છે. તેમા એક્ટ્રેસ જૂહી ચાવલાના પતિ જય મહેતા પણ ભાગીદાર છે. 
 
શાહરૂખને સમન કેમ ?
 
અંગ્રેજી વેબસાઈટના સમાચાર મુજબ શાહરૂખને 2008માં શેર ટ્રાંસફર મામલે સમન મોકલવામાં આવ્યુ છે. આ વિશે 2014માં એ સમયે ગડબડી સામે આવી હતી જ્યારે એક બીજી કંપની પાસે ઓડિટ કરાવવામાં આવ્યુ હતુ. 
 
- ઈડીએ માટે ચૌકસી એંડ ચૌક્સી દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં આ વાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી  હતી કે કલકત્તા નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને જય મહેતાની માલિકાનાવાળી કંપની સી આઈસલેંડ ઈંવેસ્ટમેંટ વચ્ચે શેરોની ટ્રાસફરમાં વિદેશી મુદ્રા નિયમોની ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. 
 
- ઈડીએ જે મામલામાં શાહરૂખ ખાનને નોટિસ મોકલી છે તે 100 કરોડના ફોરેક્સ નિયમના ઉલ્લંઘન સાથે સંકળાયેલો છે. 
- કેકેઆરના કથિત અંડર વૈલ્યુએશન પર નોટિસ મોકલવામાં આવી છે. શાહરૂખની કંપનીના શેરોના ટ્રાંસફર માટે ઓછી કિમંતો બતાવી હતી. 
 
ઈડી મુજબ 
 
- શાહરૂખે જૂહી ચાવલા અને જય મહેતાની કંપનીને 10 રૂપિયા પ્રતિ શેરની કિમંત પર શેર વેચ્યા હતા. જ્યારે કે એ શેયર્સની વાસ્તવિક કિમંત 70થી 99 રૂપિયા પ્રતિ શેયર વચ્ચે હતી. 
 
પ્રથમ નોટિસ - નવેમ્બર 2011 
 
ઈડીએ કેકેઆરને કો-ઓનર શાહરૂખને KRSPL ડીલના ડીટેલ્સ બતાવવા માટે કહ્યુ. KRSPL(નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રા. લિ.)એ 50 લાહ શેયર્સ SIIL(જય મેહતાની કંપની)ને ટ્રાસફર કરવામાં આવ્યા હતા. ઈડી મુજબ શાહરૂખ ખાને કરોડો રૂપિયા (70-72 કરોડ) મોરિશસમાં SIILને આપ્યા હતા. 
 
બીજી નોટિસ - મે 2015 
 
આઈપીએલ-8 દરમિયાન આ સંબંધમાં શાહરૂખ ખાન જૂહી ચાવલા અને જય મેહતાને એકવાર ફરી ઈડીએ સમન મોકલ્યુ અને 26 મે સુધી રજુ થવા માટે કહ્યુ. 
 
ત્રીજી નોટિસ - ઓક્ટોબર 2015 
 
પાંચ મહિના પછી ઈડીએ ફરી શાહરૂખ ખાનને સમન મોકલ્યુ. આ દરમિયાન જય મેહતાનુ સ્ટેટમેંટ લેવામાં આવ્યુ. 
બીજી વાર નોટિસ મળ્યા પછી જય મહેતાએ ફાઈનેસ મિનિસ્ટ્રીના ટૉપ ઓફિશિયલ્સને લિખિત ફરિયાદ કરી કહ્યુ હતુ કે કેમ કેકેઆર ટીમને વારેઘડીએ સમન મોકલવામાં આવી રહ્યા છે અને ઈડી સામે રજુ થવા માટે કહેવામાં આવી રહ્યુ છે. 

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments