Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિર્ભયા કેસમાં ફરીથી આરોપીઓની ફાંસી ટળી જતા ઋષિ કપૂર થયા ક્રોધિત, બોલ્યા - બકવાસ, તારીખ પે તારીખ...

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2020 (10:48 IST)
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય દોષીઓને આજે મંગળવારે ફાંસી આપવાની હતી, પરંતુ ફાંસીની સજા એક દિવસ પહેલા મુલતવી રાખવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જ્યારે આરોપી પવન કુમાર ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે બાકી છે ત્યારે તેને ફાંસી આપી શકાશે નહીં. કોર્ટના આ નિર્ણય બાદ ઋષિ કપૂરે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
 
તેમણે ટ્વિટર પર લખ્યું, 'નિર્ભયા કેસ. તારીખ પર તારીખ, તારીખ પરતારીખ . 'દામિની.' બકવાસ છે. ' ઋષિ કપૂરે સની દેઓલની ફિલ્મ 'દામિની' ના સંવાદનો ઉપયોગ કર્યો છે. સન્ની દેઓલની આ ફિલ્મ 1993 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઘરકામ કરનારી એક નોકરાની સાથે રેપ થઈ જાય છે. 
 
ત્યારબાદ એ ઘરની વહુ એટલે કે મીનાક્ષી શેષાદ્રી, નોકરાનીને  ન્યાય મળે તે માટે કાયદાની લડત લડે છે. ત્યારે સની દેઓલ આ સંવાદ કોર્ટમાં બોલતા જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. નિર્ભયા કેસમાં કોર્ટના આ નિર્ણયથી અન્ય સેલીબ્રિટીઝ  પણ નારાજ છે.
 
તેમાં સોનાલ ચૌહાણ અને કંગનાની બહેન રંગોલી ચંદેલના નામનો પણ સમાવેશ  છે. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર હવે તેમની આગામી ફિલ્મમાં જુહી ચાવલાની વિરુધ્ધ જોવા મળશે. તે દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે તે મુંબઇ પરત ફર્યા હતા. 
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments