Webdunia - Bharat's app for daily news and videos

Install App

રજનીકાંતની તબિયત બગડી, ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં થયા દાખલ, ફેન્સ થઈ રહ્યા છે પરેશાન

Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (22:32 IST)
સુપરસ્ટાર રજનીકાંત(Rajinikanth)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાંત  હેલ્થ ચેકઅપ માટે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર સામે આવતા જ ફેંસ પરેશાન થવા લાગ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.
 
 
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ અનુસાર, રજનીકાંત ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ માટે ગયા હતા, ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોઈ ટેસ્ટ માટે દાખલ કરવામાં આવ્યા છે કે રજનીકાંતની તબિયત બગડી છે કે  તે અંગે કોઈ નક્કર માહિતી મળી નથી.
 
ફેંસ કરી રહ્યા છે પોસ્ટ 
 
જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી રજનીકાંતના ફેન્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. ફેન્સ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે વહેલી તકે જાણવા માંગે છે. ફેન્સ સોશિયલ મીડિયા પર રજનીકાંતની તબિયત વિશે પોસ્ટ કરી રહ્યા છે.

 
દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા રજનીકાંત
 
ઉલ્લેખનીય છે કે સોમવારે જ રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ  યાદ અપાવીએ કે અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં, બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે, તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બે દિવસમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

આગળનો લેખ
Show comments