Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2024 (13:06 IST)
love sinha
 બોલીવુડની ગલીઓમાં આ વાતની ચર્ચા સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની લગ્નની ચર્ચા થઈ રહી છે. આ કપલે સાદા લગ્ન કર્યા હતા અને ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ ભાગ લીધો હતો. આ લગ્નમાં સોનાક્ષી સિન્હાનો ભાઈ લવ સિંહા ગેરહાજર રહ્યો હતો. લવ સિન્હાની ગેરહાજરીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને અનેક અટકળો લગાવવામાં આવી હતી. બીજી ઘણી બાબતો વચ્ચે લવ સિંહાએ આ અંગે પ્રતિક્રિયા આપી અને લગ્નમાં હાજર ન રહેવાનું સાચું કારણ પણ જણાવ્યું. તેણે અનેક ટ્વિટમાં સમગ્ર મામલાને વિગતવાર શેર કર્યો છે.
 
લવ સિન્હાએ લગ્નમાં ન જવાનુ બતાવ્યુ કારણ 
 
લવ સિન્હાએ ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ લગાવતા લગ્નમાં ભાગ ન લેવાનુ અસલી કારણ બતાવ્યુ છે. તેમણે એક્સ પોસ્ટમાં લખ્યુ કારણ ખૂબ સ્પષ્ટ છે કે હુ કેમ ભાગ ન લીધો અને કેટલાક લોકો સાથે કોઈપણ રીતે નહી જોડાઉ. મને ખુશી છે કે મીડિયાના એક સભ્યએ પીઆર ટીમ દ્વારા રજુ કરવામાં આવેલ રચનાત્મક સ્ટોરીઓ પર વિશ્વાસ કરવાને બદલે શોધ કરી.  આ કડીમાં લવ સિન્હાએ આગળ લખ્યુ, જે કથનને ખોટી રીતે મારી તરફથી રજુ કરવામાં આવી રહ્યુ છે તે મારુ નિવેદન નથી.  પણ એક વરિષ્ઠ પત્રકારે એક લેખમાં લખ્યુ હતુ. મામલો હવે બંધ થઈ ચુક્યો છે અને હુ આગળ તેના પર કોઈ ટિપ્પણી નહી કરુ. 
 
ફરી લવ એ સફાઈ આપી 
તેને ટ્વીટ કર્યા પછી જ અનેક સવાલ ઉભા થઈ ગયા. જેના પર સ્પષ્ટતા આપતા લવ સિન્હાએ ચોખવટ કરે એકે તેઓ લગ્નમાં કેમ સામેલ થયા નહોતા અને તેના અનેક કારણો હતા. સાથે જ તેણે એ પણ સ્પષ્ટતા કરી કે લેખમાં લખવામાં આવેલી બાબતો તેમનું નિવેદન નથી, પરંતુ તેઓ ચોક્કસપણે આ બાબતો સાથે સહમત છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ સોનાક્ષી સિન્હાના સાસરિયાઓ સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. બાદમાં લવે આ બાબતો પર પૂર્ણવિરામ લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ હવે આ મામલાએ જોર પકડ્યું છે અને ઝહીર ઈકબાલનો પરિવાર કયા પ્રકારના મામલામાં સંડોવાયેલો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

9 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશીના જાતકો માટે ખુશીઓ લઈને આવશે આજનો દિવસ, હનુમાનજીની રહેશે કૃપા

Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પર લટકાવશો તો પૈસા સાથે જોડાયેલી આ એક વસ્તુ તો મોટી સમસ્યાઓ થશે દૂર

8 જુલાઈનુ રાશિફળ - આજે સોમવારે આ રાશિના જાતકો પર રહેશે મહાદેવની કૃપા, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિ

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

7 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોએ નોકરીનો નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું

વધુ જુઓ..

નવીનતમ

પપૈયાના પાન ડેન્ગ્યુમાં સંજીવની ઔષધિ તરીકે કરે છે કામ, પ્લેટલેટ્સ વધારવામાં કરે છે મદદ, જાણો કેવી રીતે પીવું?

શું છે બ્રાઝિલ અખરોટ, જે ખાવાનું ચલણ ભારતમાં વધી રહ્યું છે, તે થાઇરોઇડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

ગુજરાતી વાનગી - ગોળ- પાપડી

Parenting Tips: શું તમારું બાળક આખો દિવસ ફોન પર રીલ્સ અને શોર્ટ્સ જુએ છે? આ ટિપ્સની મદદથી તમે આ આદતથી છૂટકારો મેળવશો

ચોમાસાની ઋતુમાં ભૂલથી પણ ન ખાશો આ ફુડ્સ, વધી જશે ઈંકેશનનો ખતરો, તરત થઈ જાવ એલર્ટ

આગળનો લેખ
Show comments