Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sidharth Shukla નો ચેહરો બતાવવાની પરિવારના લોકો કેમ ના પાડતા રહ્યા ? KRK એ કર્યો ચોંકાવનારો દાવો

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (16:34 IST)
KRK Says Siddharth Shukla's family members kept refusing to show the face: ટીવી ઈંડસ્ટ્રીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નુ 2 સપ્ટેમ્બરના રોજ નિધન થઈ ગયુ. રિપોર્ટ્સમાં બતાવ્યુ છે કે તેમનુ મોત હાર્ટ એટેકથી થયુ છે. સિદ્ધાર્થ શુક્લાના મોતથી ટીવી ઈંડસ્ટ્રીને મોટુ નુકશાન થયુ છે, જેની ભરપાઈ કરવી સહેલી નથી.  3 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે સિદ્ધાર્થ શુક્લાનુ મુંબઈના સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આવામાં સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર અને તેની મોત સાથે જોડાયેલા અનેક રહસ્ય જાણીતા ફિલ્મ નિર્માતા અને ક્રિટિક કેઆરકે (KRK) એ ખોલ્યા છે. તેમણે એક વીડિયો શેયર કર્યો છે અને બતાવ્યુ કે તેમના અનેક મિત્ર અને પરિવારના લોકો અંતિમ સમયે સિદ્ધાર્થ શુક્લાનો ચેહરો જોવા માંગતા હતા પણ અભિનેતાની ફેમિલીએ તેમનો ચેહરો કોઈને ન જોવા મળ્યો. 


 
KRK એ આ વીડિયોમાં જણાવ્યું હતું કે સિદ્ધાર્થ શુક્લાની મા પોતાના પુત્રના મોત પર વધારે રડી નહી કારણ કે તેને ક્યાંક ખાતરી હતી કે આવું જ થવાનું છે. સિદ્ધાર્થ શુક્લની માતા ખૂબ જ વધુ આધ્યાત્મિક છે. KRK એ વીડિયોમાં કહ્યું, 'જ્યારે સિદ્ધાર્થનો મૃતદેહને કૂપર હોસ્પિટલમાંથી ઘરે અને સ્મશાનમાં લઈ જવામાં આવ્યો તો તેમનો ચેહરો કોઈને ન બતાવાયો. તેમના જે બિગ બોસની સાથે હતા અને ખૂબ જ ક્લોઝ મિત્ર હતા, તેમણે ખૂબ રિકવેસ્ટ કરી હતી કે અમને એકવાર સિદ્ધાર્થ શુક્લાનો ચેહરો જોવા દો. પણ ઘરના લોકોએ ના પાડી દીધી અને કહ્યુ કે તેઓ સિદ્ધાર્થને નથી જોઈ શકતા. બહાનું એ બનાવવામાં આવ્યું હતું કે કોઈ પણ સિદ્ધાર્થ શુક્લના ચહેરાનો ફોટો પાડી લેશે જ્યારે બધાએ વારંવાર કહ્યું કે અમારી પાસે કેમેરા નથી. અમે અહી એટલા માટે આવ્યા છીએ જેથી સિદ્ધાર્થને છેલ્લી વાર જોઈ શકીએ વારેઘડીએ રિકવેસ્ટ કર્યા પછી પણ પરિવારે તેમનો ચેહરો ન જોવા દીધો.

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments