Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય કુમારની માતાનુ નિધન બૉલીવુડ સ્ટારએ ટ્વીટ કરી લખી આ ભાવુક પોસ્ટ

Webdunia
બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (10:07 IST)
અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષય કુમારે ટ્વિટર દ્વારા આ દુખદ સમાચાર ફેંસ સાથે શેયર કર્યા છે. ખેલાડી કુમારે પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે તેઓ ખૂબ જ ખરાબ સમયનો સામનો કરી રહ્યા છે. અક્ષય કુમારની માતા લાંબા સમયથી બીમાર હતી અને થોડા દિવસો પહેલા તેમને મુંબઈના પવઈમાં આવેલી હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારમી માતાનુ  નિધન થઈ ગયુ છે. તેની જાણકારી અક્ષય કુમારએ પોતે આપી છે. અક્ષયએ ટ્વીટ કરતા લખ્યુ છે કે તે મારુ સર્વસ્વ  હતી અને આજે હુ એક અસહનીય દુ: ખ અનુભવી રહ્યો છુ.  મારી મા શ્રીમતી અરૂણા ભાટિયા આજે સવારે શાંતિ પૂર્વક આ દુનિયાને છોડીને બીજી દુનિયામાં મારા પિતા પાસે પહોંચી ગઈ છે. હુ તમારી પ્રાર્થનાનું સમ્માન કરુ છુ કારણ હું અને મારો પરિવાર આ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. 
<

 

<

She was my core. And today I feel an unbearable pain at the very core of my existence. My maa Smt Aruna Bhatia peacefully left this world today morning and got reunited with my dad in the other world. I respect your prayers as I and my family go through this period. Om Shanti

September 8, 2021 >  

આ પહેલા અક્ષય કુમારે પોતાના ફેંસને તેમની માતા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. અક્ષય કુમારે ટ્વીટ કર્યું હતું કે, 'મારી માતાના સ્વાસ્થ્ય માટે તમારી ચિંતા અને શબ્દોથી હું અભિભૂત છું. મારા અને મારા પરિવાર માટે આ ઘણો મુશ્કેલ સમય છે. તમારી દરેક પ્રાર્થના ખૂબ મદદરૂપ થશે.

હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ માતાની દેખરેખ કરવા માટે અક્ષય કુમાર બે દિવસ પહેલા લંડનથી મુંબઈ પહોંચ્યા હતા.  અક્ષય કુમાર છેલ્લા કેટલાક અઠવાડિયાથી લંડનમાં તેમની આગામી ફિલ્મ 'સિન્ડ્રેલા'ના શૂટિંગમાં વ્યસ્ત હતા, પરંતુ તેમની માતાની હાલત નાજુક હોવાની જાણ થતાં જ અક્ષય કુમાર ફ્લાઇટ દ્વારા મુંબઈ પરત ફર્યા.

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments