Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભિનેત્રી કંગના રનૌતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા, રાજકારણમાં આવવાના સંકેત આપ્યા

Webdunia
શુક્રવાર, 3 નવેમ્બર 2023 (13:17 IST)
kangana ranut
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા રાજકારણને લઈને સવાલો પૂછવામાં આવે છે. પરંતુ હવે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેણી કહે છે કે, જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો તે લોકસભાની ચૂંટણી લડશે.

<

on her visit to the
Darkadhish temple: "It was incredible. I always say that Dwarka is divine. We should come as much as we can...The place of Lord Krishna is no less a heaven for us," #KanganaRanaut pic.twitter.com/Pq2orCCby9

— Rahul Chauhan (@RahulCh9290) November 3, 2023 >

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના ઉગ્ર વ્યક્તિત્વ માટે પ્રખ્યાત છે. રાજકીય હોય કે સામાજિક, તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. કંગનાને રાજકારણમાં આવવાને લઈને અવારનવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. અત્યાર સુધી તે તેનો ઇનકાર કરતી રહી છે. પરંતુ આ વખતે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેણી કહે છે કે જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો તે લોકસભાની ચૂંટણી લડશે. કંગના તાજેતરમાં જ દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા ગઈ હતી. ભગવાનને પ્રણામ કર્યા પછી અભિનેત્રીએ મીડિયા સાથે વાત કરી. અહીં અભિનેત્રીએ રાજકારણમાં જોડાવાનો સંકેત આપ્યો હતો.ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો તે લોકસભા ચૂંટણી લડશે

પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌતે ગુજરાતના પ્રખ્યાત પ્રવાસ સ્થળ દ્વારકાના જગત મંદિરની મુલાકાત લીધી હતી. દ્વારકાધીશ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. કંગના રનૌતે પણ દ્વારકા બેટ દ્વારકા અને નાગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. હાલમાં જ તેની ફિલ્મ તેજસ રીલિઝ થઈ છે. જે બાદ તે દ્વારકાધીશના દરવાજે પહોંચી અને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો તે લોકસભા ચૂંટણી લડશે.દ્વારકા વિશે કહ્યું કે, હું હંમેશા કહું છું કે દ્વારકા શહેર એક દિવ્ય નગરી છે. અહીં બધું જ અદ્ભુત છે. દ્વારકાધીશ દરેક કણમાં વિદ્યમાન છે અને આપણે દ્વારકાધીશના દર્શન થતાં જ ધન્યતા અનુભવીએ છીએ. અમે હંમેશા દર્શન માટે આવવાની કોશિશ કરીએ છીએ પરંતુ કામના કારણે અમે ક્યારેક જ આવી શકીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે ભગવાન કૃષ્ણની મહાન નગરી દ્વારકા જે પાણીમાં છે તેને સરકાર એવી સુવિધા આપે કે લોકો પાણીની અંદર જઈને દ્વારકાને જોઈ શકે. દ્વારકા આપણા માટે સ્વર્ગથી ઓછું નથી

સંબંધિત સમાચાર

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments