Webdunia - Bharat's app for daily news and videos

Install App

VIDEO: શિરડી સાઈબાબા પર 400 કરોડથી વધુની ધનવર્ષા

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (12:37 IST)
કહેવાય છે કે જ્યારે ઉપરવાળો આપે છે તો છપ્પર ફાડીને આપે છે. પણ જ્યારે માણસ જ ઉપરવાળાને આપવા પર આવી જાય તો છપ્પર સુધી નોટો ભરી દે છે. અમે આવુ એટલા માટે કહી રહ્યા છે કારણ કે શિરડીના સાઈબાબા મંદિરમાં ધનવર્ષા થઈ છે. શિરડી સાઈના દરબારમાં શ્રદ્ધાળુઓએ દિલ અને ખિસ્સો ખોલીને દાન આપ્યુ છે. જાણવા મળ્યુ છે કે શિરડીના સાઈબાબાના મંદિરમાં 400 કરોડથી વધુનુ દાન આવ્યુ છે. 
<

#WATCH | Maharashtra: Devotees throng Shirdi Temple to offer prayers on the first day of #NewYear2023 pic.twitter.com/hHdF9ov4zo

— ANI (@ANI) January 1, 2023 >
168 કરોડ રૂપિયા રોકડા આવ્યા 
 
 એવુ જાણવા મળ્યુ છે કે શિરડી સાઈના મંદિરમાં 400 કરોડથી વધુનો જે ચઢાવો આવ્યો છે તેમા 167 કરોડ 77 લાખ 1 હજાર રૂપિયા રોકડા આવ્યા છે. ડોનેશન કાઉંટર પર કપાવેલી રસીદો દ્વારા 74 કરોડ 3 લાખ 26 હજાર 464 રૂપિયાની રકમ ચઢાવાના રૂપમાં આવી છે. આ ઉપરાંત સોના ચાંદી વગેરેના ઘરેણાની કિમંત પણ કુલ ભેટમાં સામેલ છે. 
 
ગયા મહિને જ શિરડીના શ્રી સાઈબાબા મંદિર ટ્રસ્ટને ગયા વર્ષે ત્રણ વર્ષમાં લગાવેલ 175 કરોડ રૂપિયાની આવકવેરા ચુકવણીમાં છૂટ આપવામાં આવી છે. એક જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ છૂટ આપવામાં આવી છે.  જાહેરાત મુજબ વર્ષ 2015-16ના કરનુ અવલોકન  કરતા આવકવેરા વિભાગને જાણ થઈ કે સાઈબાબા સંસ્થા ધાર્મિક ટ્રસ્ટ નથી પરંતુ એક ધર્માર્થ ટ્રસ્ટ છે. આ આધાર પર દાન પેટીમાં પ્રાપ્ત દાન પર 30 ટકા આવકવેરો લગાવતા 183 કરોડ રૂપિયાની કર ચુકવણી નોટિસ રજુ કરવામાં આવી. ત્યારબાદ ટ્રસ્ટે ઉચ્ચ ન્યાયાલયમાં એક રિટ અરજી દાખલ કરી, જેને કરના નિર્ધારણ સુધી આવકવેરા પર રોક લગાવવાનો આદેશ આપ્યો. આવકવેરા વિભાગે છેવટે શ્રી સાઈબાબા સંસ્થાને એક ધાર્મિક અને ધર્માર્થ ટ્રસ્ટના રૂપમાં સ્વીકાર કરતા દાન પેટીમાં દાન પર લાગનારા કર પરથી છૂટ આપવામાં આવી. આ રીતે શ્રી સાઈબાબા સંસ્થાને છેલ્લા ત્રણ વર્ષમાં લગાવેલ 175 કરોડ રૂપિયાની આવકવેરામાંથી છૂટ આપવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments