Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચતંત્રની વાર્તા- બ્રાહ્મણનું સપનું

Webdunia
શુક્રવાર, 20 મે 2022 (18:00 IST)
એક સમયની વાત છે કોઈ શહેરમાં એક કંજૂસ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તેને ભિક્ષામાં જે સત્તૂ મળ્યો તેમાંથી થોડો ખાઈને બાકીનો તેને એક મટકામાં ભરીને મૂકી દીધો. પછી તેને તે મટકાને ખૂંટા પર લટકાવી દીધું અને પાસે જ ખાટલો નાખીને સૂઈ ગયો. સૂતા-સૂતા તે સપનાની અનોખી દુનિયામાં ખોઈ ગયો અને અજીબ કલ્પનાઓ કરવા લાગ્યો. 
 
તે વિચારવા લાગ્યો કે જ્યારે શહરમાં અકાલ પડશે તો સત્તૂની કીમત 100 રૂપિયા થઈ જશે. હું સત્તૂ વેચીને બકરીઓ ખરીદી લઈશ. પછી તે બકરીઓને વેચી ગાય ખરીદીશ. ત્યારબાદ ભેંસ અને ઘોડા પણ ખરીદીશ. 
કંજૂસ બ્રાહ્મણ કલ્પનાઓની વિચિત્ર દુનિયામાં પૂર્ણરૂપથી ગુમી ગયો હતો. તેને વિચાર્યુ કે ઘોડાને સારા મૂલ્યથી વેચીને ખૂબ સોનો ખરીદી લઈશ. પછી સોનાને સારા મૂલ્ય પર વેચીને મોટો ઘર બનાવીશ. મારી સંપત્તિ જોઈને કોઈ પણ તેમની દીકરીનો લગ્ન મારાથી કરી નાખશે. લગ્ન પછી મારો જે બાળક થશે. હું તેમનો નામ મંગળ રાખીશ. ફરી જ્યારે મારા બાળક તેમના પગે ચાલવા લાગશે, તો હુ દૂરથી તેને રમતા જોઈને આનંદ લઈશ. જ્યારે બાળક મને પરેશાન કરવા લાગશે, તો હું પત્નીથી બોલીશ કે તૂ બાળકને સારી રીતે સંભાળી પણ નહી 
શકે. જો તે ઘરના કામમાં વ્યસ્ત થશે અને મારી વાતનો પાલન નહી કરશે ત્યારે હુ ગુસ્સામાં ઉઠીને તેની પાસે જઈશ અને તેને પગથી ઠોકર મારીશ. આ બધી વાત-વિચારતા-વિચારતા બ્રાહણનો પગ ઉપર ઉઠે છે અને સત્તૂના ભરેલા મટકાને ઠોકર મારી નાખે છે. જેનાથી મટકો તૂટી જાય છે. આ રીતે સત્તૂથી ભરેલા મટકાની સાથે જ કંજૂસ બ્રાહ્મણનો સપનો પણ ચૂર-ચૂર થઈ જાય છે. 
 
શીખામણ  - 
આ વાર્તાથી શીખામણ મળે છે કે કોઈ પણ કામ કરતા સમયે મનમાં લાલચ નહી આવવો જોઈએ. લાલચનો ફળ કયારે મીઠો નહી હોય છે. સાથે જ માત્ર સપના જોવાથી સફળતા નહી મળે તેના માટે મેહનત કરવી 
પણ જરૂરી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments