Webdunia - Bharat's app for daily news and videos

Install App

માંગરોળમાં 8 કલાકમાં 9 ઈંચ અને માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ, નદીમાં ઘોડાપૂર

Webdunia
બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (12:43 IST)
ગુજરાતમાં રવિવારથી સૌરષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો દૌર ચાલી રહ્યો છે. પરંતુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને વાપી શહેરમાં વરસાદે લોકો માટે આફત ઉભી કરી દીધી છે. ઉમરગામમાં ૧૦ કલાકમાં ૧૧ ઇંચ અને વાપીમાં 8 કલાકમાં ૬ ઇંચ વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાહત અને બચાવ કાર્ય માટે ટીમો બંને શહેરમાં પહોંચી ગઇ છે. 
 
માંગરોળમાં 127 મિમી (9 ઇંચ) અને માળિયાહાટીનામાં 162 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસ્‍યો છે, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
 
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 228 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. વલસાડના વાપી માં આઠ ઇંચ , જૂનાગઢના માંગરોળમાં પાંચ ઇંચ કરતાં વધુ અને વિસાવદરમાં ૪ ઇંચ કરતાં વધુ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ સરકારે ચોપડે નોંધાયો છે. રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો જ્યારે રાજ્યના ૭૬ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 
 
ઉમરગામમાં ૧૧ ઇંચ વરસાદ થતાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તેનાથી લોકોને ખૂબ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. નિચલા વિસ્તારોમાં મકાનો-દુકાનોમાં પાણી ભરાઇ ગયા છે. ઘણા વિસ્તારોમાં સ્થિતિ ખરાબ થઇ ગઇછે. બચાવ અને રાહત કાર્યોના નિર્દેશ આપવાની સાથે જ કલેક્ટર શ્રીપા આગરે પોતાની ટીમ સાથે ઉમરગામ પહોંચ્યા હતા. 
 
જોકે વરસાદના ત્રીજા રાઉન્ડથી લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વખતે રાજ્યમાં 35 વર્ષનો સૌથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી ચાર-પાંચ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. તેથી ખેડૂતોના ચહેરા પર ખુશી લહેર જોવા મળી રહી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments