Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજમાવાળુ દૂધ પીવાના ફાયદા છે અનેક, મેટાબોલિજ્મ ઝડપી કરવા સાથે શરીરની આ 4 સમસ્યાઓમાં છે મદદરૂપ

Webdunia
ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (18:22 IST)
શુ તમે ક્યારેય અજમાવાળુ દૂધ પીધુ છે. નહી તો તમારે તેને એકવાર જરૂર ટ્રાય કરવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે દૂધમાં અજમો ખાવાના ફાયદા અનેક છે. અજમામાં એંટીઈફ્લેમેટરી ગુણ હોય છે. સાથે જ આ શરીરને હીલ કરવામાં મદદરૂપ છે. જ્યારે તમે તેને દૂધમાં નાખીને પીવો છો કે દૂધ સાથે અજમો ખાવ છો તો દૂધનુ પોષણ વધી જાય છે. આ દૂધ શરીરમાં સોજાને ઘટાડીને સાથે લાંબા થાકથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત તેના અનેક ફાયદા છે.  કેવી રીતે આવો જાણીએ. 
 
અજમાવાળુ દૂધ પીવાના ફાયદા - Ajwain walu doodh peeva na fayda 
 
1. હાડકાને મજબૂત બનાવે છે 
અજમાવાળુ દૂધ સૌથી પહેલા તો તમારા હાડકા માટે લાભકારી છે. ઉલ્લેખનીય છે કે કેલ્શિયમ સાથે પોટેશિયમ જેવા તત્વોને વધારે છે. જેનાથી હાડકાને મજબૂતી મળે છે. તેથી જો તમે તમારા હાડકાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે અજમાવાળુ દૂધ પીવુ જોઈએ. 
 
2. સાંધાના દુખાવામાં આપે છે રાહત 
સાંધાના દુખાવામાં અજમાના દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં શિયાળામાં લોકોની સંધિવાની સમસ્યા ઘણી વખત વધી જાય છે. આવી સ્થિતિમાં સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે અજમાનું દૂધ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના એંટીઈફ્લેમેટરી ગુણ પીડાને ઘટાડવામાં અને આ સમસ્યામાંથી રાહત અપાવવામાં મદદરૂપ છે.
 
3. આખા દિવસનો થાક દૂર કરે છે
ઘણી વાર લાંબા દિવસ પછી રાત્રે થાક લાગે છે અને શરીરમાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, આ દૂધનું સેવન આ પીડાને ઘટાડવામાં અને મનને આરામ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના એંટીઈફ્લેમેટરી ગુણ શરીરના દુખાવાને ઘટાડવામાં મદદરૂપ છે. આ સાથે તે સારી ઊંઘ લાવવામાં પણ મદદરૂપ છે.
 
4. મેટાબોલિઝમને ઝડપી બનાવે છે 
અજમાનુ દૂધ મેટાબોલિઝમને ઝડપી બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. તે તમારી પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. આ રીતે, મેટાબોલિક એક્ટિવિટીમાં વધારો કરીને, તે કબજિયાત અને સ્થૂળતાની સમસ્યાથી બચાવે છે.
 
ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો છે અને આ મહિનામાં ઘણી ખાસ વસ્તુઓ થાય છે. આવી જ એક ખાસ વાત એ છે કે વર્ષનો સૌથી નાનો દિવસ.  દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સૌથી નાનો દિવસ ક્યારેક 21મીએ તો ક્યારેક 22મીએ આવે છે. આ વખતે આ ખાસ પ્રસંગ 22 ડિસેમ્બર એટલે કે આજે છે. વાસ્તવમાં, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય દિવસમાં ગણાય છે અને આજનો સમય માત્ર 10 કલાક 41 મિનિટનો હશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments