Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિકેટર રિદ્ધિમાન સાહાએ ક્ષેત્ર સન્યાસની જાહેરાત કરી

Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2024 (16:13 IST)
Wriddhiman Saha - ભારતીય ક્રિકેટર રિદ્ધિમાન સાહાએ ક્રિકેટમાંથી ક્ષેત્ર સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે ઍક્સ ઉપર સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને આ વાતની જાહેરાત કરી હતી.
 
સાહાએ તેમના ટ્વીટમાં લખ્યું, "ક્રિકેટની યાદગાર સફર બાદ આ સિઝન મારી છેલ્લી સિઝન હશે. નિવૃત્ત થતાં પહેલાં માત્ર રણજી ટ્રૉફી રમીને, બંગાળનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવીને હું ગૌરવની અનુભૂતિ કરું છું. આવો આ સિઝનને યાદગાર બનાવીએ."
 
સાહા લાંબા સમયથી બંગાળના વિકેટકીપર તરીકે રણજી ટીમમાં રમી રહ્યા છે.
 
રિદ્ધિમાન સાહા ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. તેમણે 40 ટેસ્ટ મૅચમાં 1353 રન ફટકાર્યા છે. આ સિવાય નવ વનડે મૅચમાં 41 રન બનાવ્યા છે.
 
સાહાએ છેલ્લે વર્ષ 2021માં છેલ્લી ટેસ્ટ મૅચ રમી હતી. તેમણે લગભગ 10 વર્ષ અગાઉ 2014માં છેલ્લી વનડે મૅચ રમી હતી.
 
તેઓ આઈપીએલની પાંચ ટીમો વતી મેદાનમાં ઊતરી ચૂક્યા છે. કોલકતા નાઇટ રાઇડર્સ, ચેન્નાઈ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ તથા ગુજરાત ટાઇટન્સના માલિકોએ અલગ-અલગ સિઝનમાં સાહા ઉપર દાવ લગાવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments