Webdunia - Bharat's app for daily news and videos

Install App

અશોક ગેહલોત 10મી ઓગસ્ટે ગુજરાત આવશે,વિધાનસભાના પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે બેઠક કરશે

Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2022 (12:47 IST)
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. અગાઉ કેન્દ્રીય નેતાઓએ ગુજરાતના પ્રભારીઓ સાથે બેઠક કરી હતી. હવે 
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે 10 ઓગસ્ટે આવશે. જોકે 11મીએ રક્ષાબંધનનો તહેવાર હોવાથી તેમણે બે દિવસીય પ્રવાસને એક દિવસીયનો કર્યો છે. 
 
કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના મુજબ, ગેહલોત 10મીએ ગુજરાત આવશે તે નક્કી છે. તેઓ આવીને વિધાનસભાના પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે બેઠક કરશે. આ બેઠકમાં નિરીક્ષકો 
વિવિધ બેઠક પ્રમાણેનો અહેવાલ તૈયાર કરીને રજૂ કરશે.ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસે પણ ગુજરાતભરમાં ત્રિરંગા યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 9મી ઓગસ્ટથી ગુજરાતના તમામ જિલ્લા મથકો પર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવશે. અમદાવાદમાં 9મીએ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવશે અને આ યાત્રા સવારે સવારે 10 કલાકે ગુજરાત કોલેજ ખાતેથી વીર વિનોદ કિનારીવાલાના શહીદ સ્મારક ખાતેથી નીકળશે. આ યાત્રા ગુજરાત કોલેજથી નીકળીને ગાંધી આશ્રમ જશે અને ત્યાંથી પછી પાલડી ખાતેના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જશે. આ પછી યાત્રા અમદાવાદના જૂદા જૂદા વિધાનસભા વિસ્તારમાં ફરશે.અગાઉ 2 વખત ગેહલોતનો પ્રવાસ મુલત્વી રહ્યો હતો. જો કે, આ વખતે ગેહલોતના પ્રવાસ બાદ મોટી ખબરસામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે. આથી, ગેહલોત ઉમેદવાર મામલે જરૂરી સૂચના આપશે. કોંગ્રેસે 58 ઉમેદવારો ફાઇનલ કર્યા છે. છેલ્લી 3 ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ જલ્દી ઉમેદવાર જાહેર કરશે. ઉમેદવારનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલાયું છે. આથી, કોંગ્રેસ ગમે તે સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments