Webdunia - Bharat's app for daily news and videos

Install App

Patola Saree- પટોળા નો ઇતિહાસ, 4-5 લાખમાં વેચાય છે પટોળૂં

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2023 (05:41 IST)
Patola Saree-પટોળાની કળા એટલી અનમોલ છે કે 1934માં પણ પટોળાની સાડીની કિંમત 100 રૂપિયા હતી. પાટણ પટોળા સાડીનો ઈતિહાસ 900 વર્ષ જૂનો છે. એવું કહેવાય છે કે 12મી સદીમાં સોલંકી વંશના રાજા કુમારપાલે મહારાષ્ટ્રના જાલના બહાર સ્થાયી થયેલા 700 પટોળા વણકરોને પાટણમાં સ્થાયી થવા આમંત્રણ આપ્યું અને આ રીતે પાટણ પટોળાની પરંપરા શરૂ થઈ. રાજા પોતાના ખાસ પ્રસંગોએ જ પટોળા રેશમી પટ્ટો પહેરતા હતા. પાટણમાં માત્ર 1 એવો પરિવાર છે જે અસલ પાટણ પટોળા સાડી વણાટની કળાને સાચવી રહ્યો છે અને આ વારસાને આગળ ધપાવી રહ્યો છે.
 
 
પટોળા સાડીની વિશેષતા
પટોળાની સાડી બાંધવા, રંગવા અને વણાટની તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પટોળા સાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બંને બાજુથી પહેરી શકાય છે. આ કળાને 'ડબલ ઇકત' કળા કહે છે. ડબલ ઇકાતમાં, વણાટ એક બીજાને લંબાઇ અને પહોળાઇની દિશામાં ફસાવીને કરવામાં આવે છે. ડબલ ઇકાતને તમામ ઇકાતની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કારણે, સાડીમાં કઈ બાજુ સીધી છે અને કઈ વિપરીત છે તે અલગ પાડવું મુશ્કેલ છે. આ જટિલ વણાટને કારણે, આ કળા આજે પણ ભારત અને વિદેશમાં પ્રખ્યાત છે અને ખૂબ ખર્ચાળ પણ છે. પટોળા સાડીની બીજી સૌથી મહત્વની વિશેષતા એ છે કે તેનો રંગ ક્યારેય ફિક્કો પડતો નથી અને સાડી 100 વર્ષ સુધી રહે છે.
 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments