Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પુત્રવધુએ સસરાને જીવતા સળગાવ્યા

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:42 IST)
અમદાવાદ શહેરમાં પુત્રવધુએ જ સસરાને જીવતા બાળી મૂકવાનો પ્રયત્ન કર્યો. સાઉદી અરેબીયા રહેતા સસરા છેલ્લા આઠ મહિનાથી અમદાવાદ પરત ફર્યા હતા. સસરા પરત ફર્યા બાદ તેમની પુત્રવધુ રિસાઇને પુત્રને લઈને પોતાના પિયર જતી રહી હતી. ગુરુવારે સસરા પુત્રવધુને મનાવા માટે અને પૌત્રને રમાડવા માટે કુબેરનગર ગયા હતાં. આ દરમિયાન સસરાને પુત્રવધુની માતાએ ધક્કો મારી નીચે પાડી દઇ જ્વલનશીલ પ્રવાહી નાખી આગ ચાંપી દીધી હતી.

સસરાએ પુત્રવધુના નામથી બુમો પાડી છતાં કોઇએ બચાવ્યા નહી આખરે અવાજ સાંભળી તેમનો પુત્ર અને આસપાસના લોકો દોડી આવતા તેઓએ તેમને બચાવ્યા હતા. આ અંગે સરદારનગર પોલીસે હત્યાની કોશીશનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સસરા હરીશભાઈ પરમાર 95 ટકા દાઝી જતાં તેમની હાલત ગંભીર હોવાનું સીવીલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું. જે બાદ આજે શુક્રવારે સારવાર દરમિયાન હરીશભાઇનું મોત નિપજ્યું હતું. મોત પહેલાં હરીશભાઈએ પોતાની પુત્રવધૂ, તેની માતા અને બહેન વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવેલી,  જોકે, હવે હરીશભાઇના મોત બાદ હત્યાની કલમ ઉમેરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments