Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, રાજ્યમાં 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં ઉઘરાવે

Webdunia
શનિવાર, 22 ઑક્ટોબર 2022 (14:42 IST)
સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દિવાળી પર્વને લઈ આજથી 27 તારીખ સુધી ગુજરાતમાં ટ્રાફિક પોલીસ કોઈની પાસેથી દંડ ઉઘરાવશે નહીં.આજથી દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શહેરમાં ચોરી લૂંટ જેવી ઘટનાઓ બનતી હોય છે. જેને લઇ ગૃહ રાજ્યમંત્રીની આગેવાનીમાં સુરત પોલીસ દ્વારા શહેરના વેપારીઓ અને નાગરિકોને માટે સેફ દિવાલી સેફ સુરત અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દિવાળી પર્વને લઈ ગુજરાતની જનતા માટે ખૂબ જ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દિવાળી પર્વને લઈ આજથી ચાલુ થઈ આવનાર 27 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં એક પણ ટ્રાફિક પોલીસ કોઈ જ પ્રકારનો દંડ ઉઘરાવશે નહીં.

દિવાળી પર્વને લઈ શહેરમાં અનેક પ્રકારની ન બનવાની ઘટનાઓ બનતી હોય છે. ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ, ધાડ જેવી ઘટનાઓ બનતી હોય છે. આવી બધી ઘટનાઓથી અવગત કરાવવા અને સાવચેત કરાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા શહેરની જનતાને, પ્રબુદ્ધ નાગરિકો વેપારીઓને સાથે રાખી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. તેમની ઉપસ્થિતિમાં શહેરીજનોને પોતાને સુરક્ષિત રહેવા માટેની તમામ બાબતોથી અવગત કરાવ્યા હતા. દરમિયાન સુરત પોલીસ દ્વારા જુદી જુદી રીતે લોકો સાથે થતા ફ્રોડ અને ઘટનાઓથી બચવા માટેના ઉપાયો બતાવ્યા હતા.મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ચાલુ થઈને આવનાર 27 તારીખના રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ઉઘરાવવામાં આવશે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments