Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર યુવકના મૃત્યુના ઘેરા પ્રત્યાઘાતો, ટોળાંએ બસ સળગાવી, ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

Webdunia
ગુરુવાર, 8 જૂન 2017 (16:20 IST)
ચોરીના આક્ષેપમાં મહેસાણા પોલીસ દ્વારા એક પટેલ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યુવકને પોલીસે આરોપીને ઢોર માર મારતા પોલીસ કસ્ટડીમાં મોત થયાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કેતન પટેલના મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ પટેલના સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પટેલના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આજે બપોરે વિસનગર-ગાંધીનગર હાઈવે પર અજાણ્યા શખ્સોના ટોળાં એસટી બસ સળગાવી હતી. જેને લઈને પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. આ બસ વિસનગરથી બાપુનગર જઈ રહી હતી. વિસનગરથી બે કિલોમીટર દૂર કડા પાસે ટોળાંએ બસ સળગાવી હતી. તાત્કાલિક ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. વધુમાં  સાબરકાંઠાથી મહેસાણાની બસના રૂટ બંધ કરી દેવાયા છે.  કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ મહેસાણા બંધ સમર્થનમાં નીકળ્યા છે તેમજ મોટી સંખ્યામાં પાટીદારો એકઠાં થતાં ડીસા હાઇવે પર પોલીસનો કાફલો ગોઠવાયો છે. સાબરકાંઠામાં 20 ખાનગી વાહનો સહિત 2 SRPની ટુકડી તૈનાત કરાઇ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments