Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવસેનાનો પીએમ મોદી પર વાર. બોલ્યા બાથરૂમ છાપ રાજનીતિથી ન કરશો

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (16:06 IST)
શિવસેનાના મુખપત્ર સામનામાં મંગળવારે પ્રકાશિત એક લેખ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને તેમના રેઈનકોટ વાળા નિવેદન પર નિશાન તાક્યુ છે. સામનાએ એ લેખને પોતાની વેબસાઈટ પર પણ પ્રકાશિત કર્યુ છે. લેખમાં કહેવામાં આવ્યુ છે કે 'બાથરૂમ છાપ રાજનીતિક બંધ થાય' આ ઉપરાંત લેખમાં પ્રધાનમંત્ર્રીએ એ પણ કહ્યુ કે તેઓ વિરોધીઓની કુંડળીઓ કાઢવાની ધમકી આપવી બંધ કરે. એકબીજા પર કીચડ ફેંકવાને બદલે તમારા પદની ગરિમા બનાવી રાખો. 
 
સત્તાનો ખોટો ઉપયોગ ન કરો ? 
 
લેખમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ખૂબ નીચલા સ્તર પર જતો રહ્યો છે. એકબીજા પર કીચડ ફેંકવામાં દેશના પ્રધાનમંત્રીથી લઈને રાજ્યના મુખ્યમંત્રીનો પણ સમાવેશ છે.  બધા પોતાના પદોની ગરિમા બનાવી રાખે. પ્રધાનમંત્રીનુ આ નિવેદન કે બધા વિરોધીઓની કુંડળીઓ તેમના હાથમાં છે. આ એક ચૂંટણી પ્રચાર નથી પણ એક પ્રકારની ધમકી આપવા જેવી વાત છે. કારણ કે બીજેપી આજ સત્તામાં છે. કુંડળીઓ કાઢીને તમે એક રીતે સત્તાનો ખોટો ઉપયોગ કરી જ રહ્યા છો ને ? લોકોએ તમને પાર્ટીઓની કુંડળીઓ કાઢવાની સત્તા નથી આપી. 
 
મહિલાઓનુ નીકળવુ મુશ્કેલ 
 
શિવસેનાએ સામનામાં કહ્યુ કે પ્રધાનમંત્રીનુ કહેવુ છે કે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ માટે સાંજના સમયે ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ થઈ ગયુ છે.  સવાલ એ છે કે બીજેપીના લગભગ 70 સાંસદો જે ઉત્તર પ્રદેશમાં છે તેઓ શુ કરી રહ્યા છે.  શુ તેઓ પણ સાંજના સમયે પોતપોતાના દરવાજા બંધ કરીને બેસી જાય છે.   તેમણે ત્યાની સ્ત્રીઓની રક્ષા માટે ઘરની બહાર નીકળવુ પડશે.  બાથરૂમમાં ડોકિયા કાઢવા કોઈને પણ શોભા નથી આપતુ. આ ટાળવુ જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments