Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક વર્ષમાં હદયને લગતી અલગ અલગ બિમારીથી પીડાતા દર્દીઓનો આંકડો ખુબ જ મોટો

Webdunia
મંગળવાર, 9 જુલાઈ 2024 (11:37 IST)
રાજયમાં હદયને લગતી બિમારીના કેસમાં ચિંતાજનક સ્તરે વધારો નોધાઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં હદયને લગતી અલગ અલગ બિમારીથી પીડાતા દર્દીઓનો આંકડો ખુબ જ મોટો છે. ગુજરાતમાં વર્ષ 2024ના છેલ્લા છ મહિનામાં હૃદય રોગ સંબંધિત બીમારીના 40,047 ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે, ગત વર્ષ 2023ના અરસામાં છ મહિનામાં 33,936 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા, આમ ગત વર્ષની સરખામણીએ હૃદય રોગની ઈમરજન્સીના કેસમાં 6,111 કોલ્સ વધ્યા છે. આમ રાજ્યમાં છ મહિનામાં હૃદય રોગની ઈમરજન્સીના રોજના 220 કોલ્સ આવ્યા છે, જે ગત વર્ષે આ સમયે 186 જેટલા કોલ્સ હતા.

આ વખતે ઉનાળામાં મે મહિનામાં સૌથી વધુ 7175 કેસ નોંધાયા છે. બીજી તરફ માર્ગ અકસ્માતના કેસમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે, ગત વર્ષ 2023ના છ મહિનામાં માર્ગ અકસ્માતના 81,192 કોલ્સ હતા, જે આ વખતે વધીને 81,305 થયા છે. કોવિડ પછી હૃદય સંબંધિત બીમારી વકરી છે, તબીબોના મતે ફાસ્ટ ફૂડ, આલ્કોહોલનું સેવન, ઝડપી અને અનિયમિત જીવનશૈલી, અપૂરતી ઊંઘ, સ્ટ્રેસ, સ્મોકિંગ જેવા કારણો પણ જવાબદાર છે, અગાઉના વર્ષોની સરખામણીએ અત્યારે 30થી 40 વર્ષની વયના યુવાનોમાં હૃદય રોગના કેસનું પ્રમાણ 20 ટકા આસપાસ વધ્યું છે. આ બીમારીમાં તબીબી સલાહ લઈને ચાલવાની ટેવ તેમજ કસરત કરી શકાય છે, સાત કલાકથી ઓછી ઊંઘ લેતાં હોય તેવા લોકોમાં હૃદય રોગની શક્યતા રહે છે, તેમણે પૂરતી ઊંઘ લેવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments