Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં ૧૫,૩૯૫ કૃષિ વિષયક જોડાણો ધરાવતા ખેડૂતોને બે મોટર કનેકશન અપાયા

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (16:59 IST)
ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના કિસાનોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી હેતુ માટે એક જ જોડાણ ઉપર બે મોટરો આપવાની જાહેરાત કરી છે. તે અન્વયે ૧૫,૩૯૫ કિસાનોને આ લાભ અપાયા છે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં કૃષિ વિષયક વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને બે મોટરો વાપરવાની છૂટ આપવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, રાજ્યના ખેડૂતોની વર્ષો જૂની માંગણી હતી તેનો રાજ્ય સરકારે અમલ કર્યો છે અને એક જ સર્વે નંબર પર બીજી મોટરનું કનેકશન તથા બાજુના સર્વે નંબર પર પણ કનેકશન અથવા કનેકશન પર લોડ વધારીને બીજી મોટર વાપરવાની સવલત આપવામાં આવે છે. તા.૩૧.૧૨.૨૦૧૭ સુધીમાં રાજ્યભરમાંથી ૧૫,૬૩૪ અરજી મળી હતી તેમાં ૪૬૪૭ કનેકશન માટે મોટર વાપરવાની અરજી હતી. તેમાંથી ૩૬૦૩ કનેકશન આપી દીધા છે, ચાર બાકી છે તે ટેસ્ટીંગ રીપોર્ટના લીધે પેન્ડીંગ છે. જે સત્વરે અપાશે. તેમજ લોડ વધારવા માટે ૧૦,૯૮૭ અરજી હતી તેમાંથી ૧૦,૭૫૨ અરજીનો નિકાલ કરી દેવાયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments