Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુલેટ ટ્રેન માટે જમીન મુદ્દે હજુય ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત્

Webdunia
બુધવાર, 22 જાન્યુઆરી 2020 (13:42 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન  માટે હજુય જમીન સંપાદનનો મુદ્દો ઉકેલાયો નથી. પુરતા ભાવ ન મળતા ખેડૂતો બુલેટ ટ્રેન માટે જમીન આપવા આનાકાની કરી રહ્યાં છે જેના કારણે હજુય આ મામલે ખેડૂતો અને સરકાર  વચ્ચે મડાગાંઠ જારી છે.

દરમિયાન,મહેસૂલ મંત્રી કૌશિક પટેલે બેઠક યોજીને જમીન સંપાદન અંગેની કામગીરીની સમિક્ષા કરી હતી. એટલું જ નહીં, ખેડૂતોને યોગ્ય જમીનના ભાવ આપવા સરકારે તૈયારી દર્શાવી છે. 

મુુંબઇથી અમદાવાદ શરૂ થનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હજુય જમીન સંપાદન થઇ શકી નથી. મહેસૂલ વિભાગ ખુદ વિધાનસભામાં કબૂલ્યું છેકે, વલસાડના 831 ખેડૂતોની 109,38,93 ચોમી જમીન સંપાદન કરવાની કામગીરી ચાલી રહી છે.

આ ઉપરાંત ભરૂચના 885 ખેડૂતોની 128,38,14 ચોમી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. જોકે, 1716 ખેડૂતો પૈકી 499 ખેડૂતોને રૂા.216 કરોડ ચૂકવીને જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી 1217 ખેડૂતોબુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપવા આનાકાની રહી રહ્યાં છે. 

આજે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ખેડૂતો સાથે એક બેઠક પણ યોજાઇ હતી જેમાં જમીનના ભાવને લઇને ખેડૂતોએ પોતાની વાત રજૂ કરી હતી. ખેડૂતોની એક જ માંગ છેકે,બજાર ભાવ મુજબ જમીનના ભાવ મળે. ખેડૂતોને જમીનનો યોગ્ય ભાવ મળી રહે તે માટે ખાતરી અપાઇ છે. જોકે, અિધકારીઓનો દાવો છેકે,  ટેકનિકલ મુદ્દાઓને લઇને અમુક જમીન સંપાદન બાકી રહ્યુ છે. 

70 ટકા જમીન સંપાદન થઇ ચૂકી છે.અત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન એ રાજ્ય સરકાર માટે પણ એક પડકાર સમાન છે. આ મામલો છેક  કોર્ટ સુધી પહોંચ્યો છે એટલે કાયદાકીય લડત પણ ચાલી રહી છે. મહેલૂલ મંત્રી કૌશિક પટેલે પણ બેઠક યોજીને જમીન સંપાદનની કામગીરી અંગે અિધકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. 

સરકારની ખાતરી છતાંય ખેડૂતો જમીન આપવા હજુય આનાકાની રહ્યાં છે. આ જોતાં મહેસૂલ વિભાગે ત્રણ સિનિયર અિધકારીઓને જમીન સંપાદન માટેની કામગીરી સુપરત કરી છે. આમ, બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો મુદ્દો હજુ પેચિદો બન્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments