Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનાગઢ પોલીસ એક્શનમાંઃ ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સહિત ત્રણ ઈસમો સામે ફરિયાદ

Webdunia
શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (14:51 IST)
શહેરમાં પોલીસે ભડકાઉ ભાષણ આપનારા મુસ્લિમ સમાજના મૌલાના સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. 

<

જૂનાગઢ શહેરમાં લોકોની લાગણી દુભાય તેવા નિવેદન આપનારા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #GujaratPolice #junagadhpolice #Police #crimecontrol pic.twitter.com/zX0POmIgf8

— SP Junagadh (@SP_Junagadh) February 2, 2024 >
 
જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ
પ્રાપ્ત વિગતો મુજબ નરસિંહ સ્કુલના મેદાનમા મુસ્લિમ સમાજની ધર્મસભા મળી હતી. આ ધર્મસભામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મૌલાના સહિત ૩ લોકો સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. જુનાગઢ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જુનાગઢ બી ડિવિઝન પોલીસે મહંમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. 
<

જૂનાગઢ શહેરમાં લોકોની લાગણી દુભાય તેવા નિવેદન આપનારા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #GujaratPolice #junagadhpolice #Police #crimecontrol pic.twitter.com/zX0POmIgf8

— SP Junagadh (@SP_Junagadh) February 2, 2024 >
ભાષણોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં
આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. જેને લઈ આ તમામ સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.પોલીસે એવી અપીલ પણ કરી છે કે બે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાય તેવા કોઈપણ પ્રકારના નિવેદનો આપવા નહીં અને આવા ભાષણોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં. જો કોઈ વીડિયો વાયરલ કરતાં પકડાશે તો તેની સામે કાર્યવાહી થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments