Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરબલા : ઇરાકમાં મોહરમના જુલૂસમાં નાસભાગ, 31 લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ

Webdunia
બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (10:32 IST)

ઇરાકી અધિકારીઓનું કહેવું છે કે મોહરમ નિમિત્તે નીકળેલા જુલૂસમાં નાસભાગ થવાથી ઓછામાં ઓછા 31નાં મૃત્યુ થયા છે.

ઇરાકના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ કહ્યું કે આ નાસભાગમાં 100થી વધારે લોકો ઘાયલ થયા છે.

મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી શકે છે એમ પણ તેમણે કહ્યું છે.

મોહરમ નિમિત્તે શિયા અને સુન્ની સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર હતા, ત્યારે આ નાસભાગ થઈ.

અહેવાલ મુજબ આશુરા એટલે કે મોહરમ-મહિનામાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

આ ભીડમાં એક વ્યકિતને ઠોકર વાગી અને પછી નાસભાગ મચી ગઈ.

ઈસ્લામ ધર્મના પયગંબર મહોમ્મદના નવાસા ઇમામ હુસેનની શહીદીની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે.

7મી સદીમાં કરબલાના મેદાનમાં ઇમામ હુસેન અને તેમના 72 પરિવારજનોનું એ સમયના શાસક યઝદની સેના સાથે યુદ્ધ થયું હતું.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments