rashifal-2026

Ram Mandir Ayodhya Live: અયોધ્યામાં આજથી શરૂ થશે પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજા, 150 વિદ્વાન સમારંભમાં લેશે ભાગ, 22 જાન્યુઆરીના રોજ વિરાજશે પ્રભુ શ્રીરામ

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (10:54 IST)
ram mandir ayodhya
HIGHLIGHTS
 
- અયોધ્યામાં આજથી ભવ્ય મંદિરમાં શ્રીરામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અને પૂજા વિધિ શરૂ થશે 
- યજમાન ડૉ. અનિલ મિશ્રના દશવિધિ સ્નાનથી અનુષ્ઠાનની થશે શરૂઆત 
- પ્રતિમા નિર્માણ સ્થળ પર કર્મકુટીનુ થશે પૂજન 
 
Ram Mandir Ayodhya Live Update: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અને પૂજા વિધિ આજથી(16 જાન્યુઆરી) શરૂ થશે. બપોરે દોઢ વાગે યજમાન ડો. અનિલ મિશ્રના દશવિધિ સ્નાનથી અનુષ્ઠાન શરૂ થશે. પ્રતિમા નિર્માણ સ્થળ પર કર્મકુટીનુ પૂજન થશે. સાંજે પ્રતિમા નિર્માણ સ્થળ વિવેક સુષ્ટિમાં હવન થશે. 
 
50 વિદ્વાન પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં લેશે ભાગ 
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પર વૈદિક પુજારી સુનીલ લક્ષ્મીકાંત દીક્ષિતનુ કહેવુ છે કે "લગભગ 150 વિદ્વાન પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લેશે. આ પ્રાર્થના આજથી શરૂ થશે અને 22 જાન્યુઆરીની સાંજ સુધી ચાલુ રહેશે.  યજમાનની શુદ્ધિ અને પૂજાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે આજે પ્રાયશ્ચિત પ્રાર્થના કરવામાં આવશે.  વિષ્ણુ પૂજા, ગોદાન... કરવામાં આવશે. ત્યારબાદ મૂર્તિની શુદ્ધિ કરી પૂજા કરવામાં આવશે." 
 
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી સાક્ષી મહાનુભાવોને કરાવવામાં આવશે દર્શન 
 ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પુરો થયા બાદ બધા સાક્ષી મહાનુભાવોને દર્શન કરાવવામાં આવશે. 
  
રામ મંદિરમાં લાગ્યા 11 સુવર્ણ મંડિત કપાટ 
રામ મંદિરના ભૂતલ પર 14 થી 11 સુવર્ણ કપાટ લગાવી દેવામાં આવ્યા. તેમા મુખ્યદ્વારનો પણ સમાવેશ છે. મંદિરના ગર્ભગૃહમાં કપાટ લાગી ગયા. આ ઉપરાંત સિંહદ્વાર પર ચાર પલ્લાવાળો દરવાજો લગાવવામાં આવ્યો છે. 
બધા પર સોનુ જડાયુ છે. કાર્યદાયી સંસ્થાના અધિકારીએ જણાવ્યુ કે મંગળવાર સુધી કપાટ લાગી જશે. 

<

प्राण प्रतिष्ठा और संबंधित आयोजनों का विवरण:

1. आयोजन तिथि और स्थल: भगवान श्री रामलला की प्राण-प्रतिष्ठा योग का शुभ मुहूर्त, पौष शुक्ल कूर्म द्वादशी, विक्रम संवत 2080, यानी सोमवार, 22 जनवरी, 2024 को आ रहा है।

2. शास्त्रीय पद्धति और समारोह-पूर्व परंपराएं: सभी शास्त्रीय परंपराओं…

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 15, 2024 >
 
એસએસપીએ પોલીસ બળની સાથે રામ મંદિર પરિસર સહિત મહત્વપૂર્ણ સ્થાન પર પગપાળા કર્યુ પેટ્રોલિંગ 
 પ્રાણ પ્રતિષ્થા સમારંભને જોતા અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધીક્ષક રાજકરણ નૈય્યરે પોલીસ અધીક્ષક નગર, જનપદ અયોધ્યા અને અન્ય પોલીસ બળ સાથે રામ મંદિર પરિસર, નવોઘાટ અને અન્ય મહત્વપૂર્ણ સ્થાન પર પગપાળા જ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.  જેથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને સુદ્દઢ કરી શકાય. ભ્રમણ દરમિયાન તેમણે ડ્યુટી પોઈંટ પર ગોઠવાયેલા કર્મચારીઓની તપાસ કરી અને બધા સંબંધિત મીડિયા સેલ પોલીસને જરૂરી આદેશ આપ્યા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

વધુ જુઓ..

નવીનતમ

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

આગળનો લેખ
Show comments