Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી ગુજરાતના તમામ સરકારી તબીબો આંદોલન શરૂ કરશે, સિવિલમાં OPD માટે લાગી લાંબી લાઇનો

Webdunia
સોમવાર, 29 નવેમ્બર 2021 (11:36 IST)
રાજ્યભરના જુદા જુદા એસોસિએશન તેમજ યુનિયન સાથે જોડાયેલા અંદાજે 10 હજાર જેટલા તબીબો આંદોલન શરૂ કરશે. GMTA ના તબીબો અમદાવાદ સ્થિત બી.જે.મેડિકલ કોલેજ ખાતે સવારે 9.30 કલાકે કાળીપટ્ટી ધારણ કરી ધરણા યોજી ડીનને આવેદનપત્ર આપશે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન તથા GMERS ના તમામ તબીબી / દંત શિક્ષકો અને ગુજરાતના તમામ સરકારી તબીબોના પડતર પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતા ફરી આંદોલનનો માર્ગ અપનાવશે. 
 
ગુજરાતના PHC, CHC, ESIS અને તમામ સિવિલ હોસ્પિટલના તમામ સરકારી તબીબો અને દંત તબીબો આંદોલનમાં જોડાશે. પડતર માગ પુરી કરવા અંગે ભૂતકાળમાં સરકારે આપેલા વચન બાદ તેનું અમલીકરણ ના થતા તબીબી શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની OPD માં લાંબી લાઈનો લાગી ગઇ છે. વહેલી સવારે 7 વાગ્યાથી આવેલા દર્દીઓ હજુ પણ પોતાના વારાની રાહ જોઇ રહ્યા છે. રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતરતા OPD સારવાર પર જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલની OPD આજે ઇન્ટર્ન ડોક્ટરોના સહારે છે.
 
પરેશાન થઈ રહેલા દર્દીઓ કહ્યું કે વારંવાર થતી હળતાળથી સમસ્યા થઈ રહી છે. હડતાળ જ કરવી હોય તો બહાર બોર્ડ મારી દે તો અમને સમસ્યા ઓછી થાય. ડોકટરોએ હજુ 4 મહિના પહેલા જ હડતાલ કરી હતી, હવે ફરી હડતાળ કરી છે. અમે દૂર દૂરથી સારવાર માટે આવીએ છીએ, નોકરીમાં રજા મૂકીને આવીએ છીએ, અમારી સમસ્યા કોઈ જોતું જ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments