Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં વિદ્યાર્થીનીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું 'NEXT LIFE BETTER'

Webdunia
ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (13:14 IST)
રાજ્યમાં સતત આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં સરકારના ભાર વિનાનું ભણતર સૂત્રને નિરર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ ભણતરના ભારથી કંટાળી જતાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પરિવારની પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. 
 
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 
આ અંગે મળતી માહિતી અનુસાર યુવતિ રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી આવેલા રવિ પાર્કમાં રહેતી હતી. 20 વર્ષીય ઋત્વીબેન નીતિનભાઇ કોઠીયા નામની યુવતિ આર્ટીટેકટનો અભ્યાસ કરતી હતી. યુવતીએ ભણતરના ભારથી કંટાળી પોતાના ઘરે બારીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. 
 
આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કાર્યવાહી કરી કોલેજીયન યુવતીના લટકતા મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આશાસ્પદ યુવતીના મૃત્યુથી પટેલ પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. 
 
આ અંગે પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક ઋત્વીબેન કોઠીયા એક ભાઇ અને એક બહેનમાં મોટી હતી અને તે કોલેજમાં આર્કીટેકટનો અભ્યાસ કરતી હતી. જ્યારે નાનો ભાઇ ધો.12 માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

આગળનો લેખ
Show comments